ભાવનગર: કોંગ્રેસના કાર્યકરોએ અદાણી મામલે કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી અટકાયત
શહેર કોંગ્રેસ દ્વારા અદાણીના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો જોડાયા હતા
BY Connect Gujarat6 March 2023 11:57 AM GMT
X
Connect Gujarat6 March 2023 11:57 AM GMT
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા અદાણીના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો જોડાયા હતા
ભારત સરકાર દ્વારા એલ .આઈ.સી અને એસ.બી.આઈને અદાણીની કંપનીમાં રોકાણ કરવાનું ફરમાન કરતા કોંગ્રેસે તેની સામે વિરોધ નોંધાવ્યો છે.ભાવનગર કોંગ્રેસ દ્વારા શહેરનાં નિલમબાગ ખાતે ધરણા, સુત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતુ. આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષનાં નેતા પણ હાજર રહયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ અદાણી મોદી ભાઈ ભાઈના સૂત્રો પોકાર્યા હતા.પોલીસે ધરણા ઉપર બેઠેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
Next Story