ભાવનગર: ડોક્ટરોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા માટે આરોગ્ય વિભાગની સૂચના

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોને ક્લિનિક,હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો આ બાબતે કોઈ ચૂંક કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

New Update

ભાવનગરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

250 જેટલા યુનિટો રજિસ્ટ્રેશન બાકી છે

ડોક્ટરોને રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ 

રજીસ્ટ્રેશન વગરના હોસ્પિટલ સામે થશે કાર્યવાહી 

આરોગ્ય અધિકારીએ આપી સૂચના 

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોને ક્લિનિક,હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો આ બાબતે કોઈ ચૂંક કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં માત્ર ત્રણસો જેટલા હોસ્પિટલ અને વિવિધ મેડિકલ સુવિધા પૂરી પાડતી સંસ્થાઓના રજીસ્ટ્રેશન થયા છે. આરોગ્ય અધિકારી ચંદ્રમણીના જણાવ્યા મુજબ હજી250 જેટલા યુનિટો રજિસ્ટ્રેશન બાકી છે.પરંતુ ભાવનગર શહેરમાં આવી હોસ્પિટલલેબોરેટરી અને અનેક ડોક્ટરો દુકાનો ખોલી બેઠા છે.તો સાચો આંકડો કયો છે.જ્યારે અધિકારીએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લા બંનેનું રજિસ્ટ્રેશન જિલ્લા આરોગ્ય ખાતામાં કરવામાં આવે છે.જો હવે વહેલી તકે આ રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો તેવા હોસ્પિટલ,ક્લિનિક,લેબોરેટરી સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. 

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.