ભાવનગર: ડોક્ટરોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા માટે આરોગ્ય વિભાગની સૂચના

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોને ક્લિનિક,હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો આ બાબતે કોઈ ચૂંક કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

New Update

ભાવનગરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

Advertisment

250 જેટલા યુનિટો રજિસ્ટ્રેશન બાકી છે

ડોક્ટરોને રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ 

રજીસ્ટ્રેશન વગરના હોસ્પિટલ સામે થશે કાર્યવાહી 

આરોગ્ય અધિકારીએ આપી સૂચના 

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોને ક્લિનિક,હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો આ બાબતે કોઈ ચૂંક કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં માત્ર ત્રણસો જેટલા હોસ્પિટલ અને વિવિધ મેડિકલ સુવિધા પૂરી પાડતી સંસ્થાઓના રજીસ્ટ્રેશન થયા છે. આરોગ્ય અધિકારી ચંદ્રમણીના જણાવ્યા મુજબ હજી 250 જેટલા યુનિટો રજિસ્ટ્રેશન બાકી છે.પરંતુ ભાવનગર શહેરમાં આવી હોસ્પિટલલેબોરેટરી અને અનેક ડોક્ટરો દુકાનો ખોલી બેઠા છે.તો સાચો આંકડો કયો છે.જ્યારે અધિકારીએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લા બંનેનું રજિસ્ટ્રેશન જિલ્લા આરોગ્ય ખાતામાં કરવામાં આવે છે.જો હવે વહેલી તકે આ રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો તેવા હોસ્પિટલ,ક્લિનિક,લેબોરેટરી સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. 

Advertisment
Read the Next Article

રાજસ્થાનના ઉદેપુરમાં અંક્લેશ્વરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત,કારના થયા બે ટુકડા, બેના મોત, 3 ઈજાગ્રસ્ત

અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો.

New Update
aaa

અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો.

Advertisment

અકસ્માતમાં નવપરણિત યુવક અને તેની ફઇનું મોત નીપજ્યું છેજ્યારે અન્ય ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત ઋષભદેવ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઇવે 48 પર કલ્લાજી મંદિર પાસે સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઇ રહેલી કારે ઓવરટેક કરવા જતાં અન્ય કાર ટક્કરને મારતા કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી.

જાણવા મળ્યા અનુસાર અંકલેશ્વરના એક પરિવારના 10 સભ્યો અલગ-અલગ ત્રણ કાર લઇને અજમેર દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે ઉદયપુર નજીક તેમની એક કારને અકસ્માત નડ્યો હતો. જેમાં નવપરણિત યુવક પવન ઉં.વ.30 યુવકને ફઈ નૈના દેવીબેન ઉં.વ.50નું મોત નીપજ્યું હતું. બંને મૃતકોના  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેજ્યારે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

પવન પટેલ નામનો નવપરણિત યુવક કાર ચલાવી રહ્યો હતોતેમની કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જ્યારે તેમની સાથે અન્ય બે કાર હતીતેમાં પરિવારના અન્ય સભ્યો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બે ટુકડા થઈ ગયા હતા. કારના બોનેટઅને કાચ અને દરવાજાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જ્યારે કુસુમબેન ભરતભાઈ પટેલ ઉં.વ.52, બીજુબેન ઉજ્જનસિંહ રાજપૂત ઉં.વ.55  અને દિશાબેન દિલીપભાઈ પટેલ ઉં.વ.20ને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ પવનના લગ્ન થયા હતા. જોકે પવનની પત્ની બીજી કારમાં સવાર હતી.

 

 

Advertisment