-
અગ્નિવીર જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાયો
-
શહીદ જવાનને અપાઈ અંતિમ સલામી
-
શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું
-
વીર જવાનનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન
-
પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના પુત્ર અને ભારતીય સેનાના અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થતાં સમગ્ર ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વીર જવાનના શહાદતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદીપ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમની શહાદત થઈ છે. જયદીપ ડાભીના શહીદ થવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને મોટા ખોખરા ગામના લોકો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો અને લોકો શોકાકુલ હૃદયે વીર જવાનને યાદ કરી રહ્યા છે.શહીદ જયદીપ ડાભીના પાર્થિવદેહને તેમના વતન મોટા ખોખરા ખાતે લાવવામાં આવ્યો હતો.આર્મીના નીતિ-નિયમ મુજબ, સંપૂર્ણ સન્માન સાથે 'ગાર્ડ ઓફ ઓનર' આપીને વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા દેશ પ્રેમીઓનો સેલાબ ઉમટયો હતો.