ભાવનગર : ભારતીય સેનાના શહીદ અગ્નિવીર જવાનને અપાઈ અંતિમ સલામી,પરિવારજનોમાં છવાયો શોક

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદીપ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમની શહાદત થઈ છે.

New Update
  • અગ્નિવીર જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાયો

  • શહીદ જવાનને અપાઈ અંતિમ સલામી

  • શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું

  • વીર જવાનનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન   

  • પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના પુત્ર અને ભારતીય સેનાના અગ્નિવીર જવાન જયદીપ ડાભી ફરજ દરમિયાન શહીદ થતાં સમગ્ર ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વીર જવાનના શહાદતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અગ્નિવીર જયદીપ ડાભી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમની શહાદત થઈ છે. જયદીપ ડાભીના શહીદ થવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને મોટા ખોખરા ગામના લોકો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો અને લોકો શોકાકુલ હૃદયે વીર જવાનને યાદ કરી રહ્યા છે.શહીદ જયદીપ ડાભીના પાર્થિવદેહને તેમના વતન મોટા ખોખરા ખાતે લાવવામાં આવ્યો હતો.આર્મીના નીતિ-નિયમ મુજબસંપૂર્ણ સન્માન સાથે 'ગાર્ડ ઓફ ઓનરઆપીને વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા દેશ પ્રેમીઓનો સેલાબ ઉમટયો હતો.

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.