ભાવનગર : વ્યાજના રૂ. 50 હજાર પરત નહીં આપતા 2 વ્યાજખોરોએ કરી યુવકની કરપીણ હત્યા..!

રાત્રીના સમયે વિશાલ અને નીરવ નામના બન્ને ઈસમો પ્રદીપને અવાવરું જગ્યા પર લઇ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, રૂ. 50 હજાર પરત નહીં આપતા શખ્સોએ કરી હત્યા

New Update
  • કાળીયાબીડ વિસ્તારના યુવાનની હત્યાનો મામલો

  • વ્યાજના પૈસાની લેતીદેતીમાં ખેલયો હતો ખૂની ખેલ

  • રૂ. 50 હજાર પરત નહીં આપતા શખ્સોએ કરી હત્યા

  • યુવાનને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતાર્યો

  • હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 શખ્સોની ધરપકડ

ભાવનગર શહેર કાળીયાબીડ વિસ્તારના યુવાનની વ્યાજના પૈસાની લેતીદેતીમાં હત્યાની ઘટના સામે આવી હતીત્યારે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેર તથા જિલ્લામાં ફરી એક વખત વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પ્રદીપ ઉર્ફે ઘૂઘા ડાભી નામના યુવાનએ વિશાલ સોહલા અને નીરવ ગોહિલ પાસેથી 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે અંગે વ્યાજના પૈસા માટે બન્ને શખ્સો દ્વારા પ્રદીપ પાસે ઉઘરાણી કરી હેરાન કરતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

2 દિવસ પહેલા રાત્રીના સમયે વિશાલ અને નીરવ નામના બન્ને ઈસમો પ્રદીપને અવાવરું જગ્યા પર લઇ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ યુવાનની ઓળખ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રદીપ ઉર્ફે ઘૂઘાનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પરિવારને જાણ કરાતા મૃતકના સ્વજને નીલમબાગ પોલીસ મથક હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી હત્યામાં સંડોવાયેલા ઈસમોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે પ્રદીપની હત્યા કરનાર વિશાલ સોહલા અને નીરવ ગોહિલને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે બન્ને ઈસમોને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.