ભાવનગર : ચોમાસાની સીઝનના પ્રારંભે જ શહેર થયું પાણી' પાણી', માર્ગ પર નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સર્જાયા

માત્ર દોઢ કલાકમાં જ વરસી પડ્યો દોઢ ઈંચ વરસાદ.

New Update
ભાવનગર : ચોમાસાની સીઝનના પ્રારંભે જ શહેર થયું પાણી' પાણી', માર્ગ પર નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સર્જાયા

ભાવનગર શહેર અને જીલ્લામાં ચોમાસા સીઝનનો કહી શકાય તેવો પ્રથમ ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર દોઢ કલાકમાં દોઢ ઈંચની વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી શહેરના અનેક વિસ્તારના માર્ગો પણ પાણીની નદીઓ વહેતી થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભારે વરસાદના પગલે માર્ગો પર પાણી ભરાયા હતા, ત્યારે પાણી માર્ગ પર ભરાવાના અનેક વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી કરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા તંત્ર માત્ર કાગળ પર જ પ્રિમોન્સુનની કામગીરી કરતુ હોય તેવી લોકચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

જોકે, સિઝનના પહેલા સારા વરસાદના કારણે ગરમી અને બફારાથી રાહત મળતા ભાવનગરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર શહેર ઉપરાંત ભાલ પંથકના સનેશ, માઢીયા, સવાઈનગર, દેવળિયા, પાળીયાદ, રાજપરા સહિતના ગામો અને અલંગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.
Latest Stories