ભાવનગર: પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ રીક્ષાચાલકની પોલીસે કરી ધરપકડ

રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • ભાવનગરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • રીક્ષાચાલકે પરિણીતા પર આચર્યું હતું દુષ્કર્મ

  • દુષ્કર્મ આચરી ધાકધમકી આપતો હતો

  • બી ડિવિઝન પોલીસે ગુનો કર્યો હતો દાખલ

  • નરાધમ રીક્ષાચાલકની ધરપકડ

Advertisment
ભાવનગરના સિહોર ઘાંચીવડમાં રહેતા રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા આજથી થોડા સમય પહેલા પતિ સાથે મન દુઃખ થતા સંતાનોને લઈને તેના પિતાના ઘેર જવા રવાના થઈ હતી એ દરમિયાન પરણીતા જે રીક્ષામાં બેઠી હતી એ રીક્ષા ચાલક સાથે સંપર્કમાં આવી હતી અને વિધર્મી શખ્સે મુસાફરી દરમિયાન પરણીતાને વિશ્વાસમાં લઈને તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો દરમિયાન આ શખ્સે થોડા સમયમાં જ પરણીતાને પોતાની સાથે કોલ માં વાત કરવા અને રૂબરૂ મળવા માટે મજબૂર કરી હતી.
જો તે મળવા ન આવે તો તેની સાથે આડા સંબંધ છે તેવી  વાત તેના પતિને કરવાની ધમકી આપી હતી. જેથી તે આરોપીને મળવા ગઈ હતી દરમ્યાન વડવા વિસ્તારમાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પરણીતાની ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનાર નરાધમ અફઝલ યુસુફ દસાડીયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Advertisment
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisment