ભાવનગર : સિહોર જીઆઈડીસીમાં રોલિંગ મિલમાં બ્લાસ્ટ થતા ત્રણ શ્રમિકો દાઝ્યા,ઘટનાને પગલે સર્જાયો ભયનો માહોલ

સિહોર જીઆઈડીસીમાં લોખંડ બનાવતી કંપનીમાં બોઇલરની કોલસાની ટાંકી ફાટતા ગરમ કોલસો બહાર ઉડતા કામદારો દાઝયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

New Update
  • સિહોરGIDCમાં રોલિંગ મિલમાં સર્જાય બ્લાસ્ટની ઘટના

  • 3 શ્રમિકો ગંભીર રીતે દાઝયા

  • તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

  • બોઇલરની કોલસાની ટાંકી ફાટતા સર્જાઈ દુર્ઘટના

  • પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

ભાવનગર જિલ્લાના સિહોર જીઆઇડીસીમાં આવેલી રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.જેમાં 3 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગર જિલ્લાના સિહોર જીઆઈડીસીમાં આવેલી રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.સર્જાયેલી ઘટનામાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા,લોખંડ બનાવતી કંપનીમાં બોઇલરની કોલસાની ટાંકી ફાટતા ગરમ કોલસો બહાર ઉડતા કામદારો દાઝયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક સારવાર બાદ તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Read the Next Article

ભરૂચ: વાગરાના કડોદરા ગામે કોંગ્રેસે કરી જનતા રેડ, મનરેગા કૌભાંડને ઉજાગર કર્યાનો દાવો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસની જનતા રેડ

  • વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરાય

  • વધુ એક મનરેગા કૌભાંડ ઉજાગર કરાયાનો દાવો

  • ખોટા જોબ કાર્ડ બનાવી મજૂરી ચૂકવાઈ હોવાનો આરોપ

  • ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા તજવીજ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા  કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી. જેમાં કડોદરા પંચાયત ભવન ખાતે મનરેગા યોજનાના કામોમાં JCB અને મશીનરીથી કામગીરી કરી, મજૂરોના નામે ફર્જી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયા. 
બિલો ઓવરએસ્ટીમેટ કરી, ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓ અને આયોજકોએ મંજુરી આપી હોવાનો આરોપ લગાવાયો હતો. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મનરેગા જેવી મજુરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે. જો યોગ્ય તપાસ ન થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન થશે.કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, વિજિલન્સ અને કલેકટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે.