ભાવનગર : સિહોર જીઆઈડીસીમાં રોલિંગ મિલમાં બ્લાસ્ટ થતા ત્રણ શ્રમિકો દાઝ્યા,ઘટનાને પગલે સર્જાયો ભયનો માહોલ

સિહોર જીઆઈડીસીમાં લોખંડ બનાવતી કંપનીમાં બોઇલરની કોલસાની ટાંકી ફાટતા ગરમ કોલસો બહાર ઉડતા કામદારો દાઝયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

New Update
  • સિહોરGIDCમાં રોલિંગ મિલમાં સર્જાય બ્લાસ્ટની ઘટના

  • 3 શ્રમિકો ગંભીર રીતે દાઝયા

  • તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

  • બોઇલરની કોલસાની ટાંકી ફાટતા સર્જાઈ દુર્ઘટના

  • પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

ભાવનગર જિલ્લાના સિહોર જીઆઇડીસીમાં આવેલી રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.જેમાં 3 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગર જિલ્લાના સિહોર જીઆઈડીસીમાં આવેલી રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.સર્જાયેલી ઘટનામાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા,લોખંડ બનાવતી કંપનીમાં બોઇલરની કોલસાની ટાંકી ફાટતા ગરમ કોલસો બહાર ઉડતા કામદારો દાઝયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક સારવાર બાદ તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

New Update
  • અંકલેશ્વરના કોસમડીમાં યોજાયો કાર્યક્રમ

  • સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

  • શિવ પાર્થિવ પૂજનનું કરાયુ આયોજન

  • શ્રાવણ માસમાં કરવામાં આવે છે પૂજા

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરના કોસમડી ગામના  સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજાનનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આચાર્ય શિવરામ પાંડેયની અધ્યક્ષતામાં શિવ પાર્થિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં 61 જોડા જોડાયા હતા અને શાસ્ત્રોત વિધિ અનુસાર પૂજન કરાવવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં અશોક મહતો,સોનું મૌર્યા અને વિશ્વજીત પાલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.