વડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું

New Update
વડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન

રાજકીય પક્ષના ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાનો પ્રારંભ

વાઘોડિયા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન

સુરેન્દ્રનગર-લોકસભા ભાજપના ઉમેદવારે પણ ભર્યું નામાંકન

મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરાયું

ભાજપના ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

વડોદરાના વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો બીજી તરફ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું હતું.

વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચુંટાયા બાદ ભાજપામાં જોડાઈ હવે ભાજપાના બેનર ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે, સામે આ બેઠક ઉપરથી ક્ષત્રિય સમાજના ઉમેદવારે મેદાનમાં ઉમેદવારી નોંધાવી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાના સમર્થકો સાથે તેઓ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભરી જીતનો દાવો કર્યો હતો.

તો બીજી તરફ, સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાના સમર્થનમાં શહેરના મેળાના મેદાન ખાતે ભાજપની સભા યોજાય હતી. જે બાદ જીલ્લા કલેકટર કચેરી સુધી રોડ-શો યોજી તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, જીલ્લાના તમામ ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો, હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

જૂનાગઢ : મગફળીના પાકમાં મુંડા જીવાતના ત્રાસથી ખેડૂતો પરેશાન, સરકાર પાસે સહાયની અપીલ

જુનાગઢ સહિતના વિસ્તારમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલો મગફળીના પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે.

New Update
  • મગફળીના પાકમાં જીવાતથી નુકસાન

  • વરસાદ ખેંચતા પાકને થયું નુકસાન

  • મુંડા નામની ઇયળનો ઉપદ્રવ વધ્યો

  • ખેડૂતોએ યોગ્ય સહાયની કરી માંગ

  • કૃષિ વૈજ્ઞાનિક દ્વારા અપાયું માર્ગદર્શન

સૌરાષ્ટ્રમાં ચોમાસું પાક તરીકે મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. હાલમાં મગફળીનો પાક તૈયાર થવા આવ્યો છેપરંતુ પાકની કાપણી પહેલાં જ મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધતા મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જુનાગઢ સહિતના વિસ્તારમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલો મગફળીના પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે. તેઓ સરકારને અપીલ કરી રહ્યા છે કે નિષ્ણાતોની ટીમ બનાવીને રોગના નિયંત્રણ માટે પગલાં લેવા અંગે માંગ કરી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિક જી.આર. ગોહિલના જણાવ્યા મુજબ વાવેતરની શરૂઆતમાં જંતુનાશકનો ઉપયોગ ન કરવાના કારણે આ સમસ્યા વધી છે. ખેડૂતોને ખેતરની આજુબાજુના ઝાડની વધારાની ડાળીઓ કાપવાનીપેસ્ટિસાઈડ છાંટવાની અને જો મુંડા દેખાય તો પંપમાં ક્લોરો નાખીને છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે જમીન ઓછી પોચી રહે અને તાત્કાલિક પિયત આપવાથી જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે.જો સમયસર યોગ્ય સલાહ અને પગલાં લેવાશે તો પાકનું નુકસાન અટકાવીને ઉત્પાદન બચાવી શકાય તેમ છે.

Latest Stories