વડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું

New Update
વડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન

રાજકીય પક્ષના ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાનો પ્રારંભ

Advertisment

વાઘોડિયા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન

સુરેન્દ્રનગર-લોકસભા ભાજપના ઉમેદવારે પણ ભર્યું નામાંકન

મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરાયું

ભાજપના ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

વડોદરાના વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો બીજી તરફ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું હતું.

વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચુંટાયા બાદ ભાજપામાં જોડાઈ હવે ભાજપાના બેનર ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે, સામે આ બેઠક ઉપરથી ક્ષત્રિય સમાજના ઉમેદવારે મેદાનમાં ઉમેદવારી નોંધાવી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાના સમર્થકો સાથે તેઓ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભરી જીતનો દાવો કર્યો હતો.

Advertisment

તો બીજી તરફ, સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાના સમર્થનમાં શહેરના મેળાના મેદાન ખાતે ભાજપની સભા યોજાય હતી. જે બાદ જીલ્લા કલેકટર કચેરી સુધી રોડ-શો યોજી તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, જીલ્લાના તમામ ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો, હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment
Latest Stories