/connect-gujarat/media/post_banners/4b8b58a0f6f5c86f4cc857af641b64d2175e1bee5559820cfe516ed641143894.jpg)
બોટાદ લઠ્ઠાકાંડ મામલે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને હોદ્દેદારોએ રોજીદ ગામે મૃતકોના પરિવારો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.
બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે હવે રાજનીતિ પણ શરુ થઇ ગઈ છે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની મુલાકાત બાદ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અસરગ્રસ્ત ગામમાં પહોંચ્યા હતા અહીં તેમણે 5 પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.ગોપાલ ઈટાલીયા સાથે પ્રદેશનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયું હતું. પરિવારજનો સાથે મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર અને સી આર પાટીલ પર પ્રહાર કર્યા હતા ઇટાલિયા આરોપ લગાવતા કહ્યું કે નાની વાતોમાં ટ્વિટ કરતા સી આર પાટીલે આ મુદ્દે મૌન સેવી લીધું છે.