બોટાદ : શાળા-સમય બાદ પણ રાત્રે ઘરે-ઘરે જઈ વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરતાં લાખણકા પ્રા.શાળાના શિક્ષકો...

શિક્ષણ એ સમાજનો પાયો છે. આ પાયાને મજબૂતી આપે છે શિક્ષક. જો શિક્ષક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો લોકહ્રદયમાં કેવું સ્થાન પ્રાપ્ત કરે છે,

New Update
બોટાદ : શાળા-સમય બાદ પણ રાત્રે ઘરે-ઘરે જઈ વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરતાં લાખણકા પ્રા.શાળાના શિક્ષકો...

શિક્ષણ એ સમાજનો પાયો છે. આ પાયાને મજબૂતી આપે છે શિક્ષક. જો શિક્ષક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો લોકહ્રદયમાં કેવું સ્થાન પ્રાપ્ત કરે છે, તેનું ઉત્તમ ઉદાહરણ છે. બોટાદ જિલ્લાનું લાખણકા ગામ. અહીંની પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઈનોવેટિવ પદ્ધતિથી શિક્ષણ આપી ગ્રામજનોના દિલ જીતી લીધા છે. જુઓ આ વિશેષ અહેવાલ...

આ છે બોટાદ જિલ્લાની લાખણકા ગામની પ્રાથમિક શાળા. આ પ્રાથમિક શાળામાં 632 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના 17 શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો થકી બાળકોનું ઘડતર કરી રહ્યા છે. શાળાનું પરિણામ ખુબ સરસ આવે છે. શિક્ષકો શાળાના સમય બાદ પણ વિદ્યાર્થીઓને તૈયારી કરાવે છે. તેમના થકી બીજી વિવિધ પ્રવૃતિઓ થાય છે જેમ કે, ગામમાં અભ્યાસક્રમને લગતા કેટલાક બોર્ડ બનાવી અને બાળકો રમતાં રમતાં શીખે તેવા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે.

લાખણકા પ્રાથમિક શાળામાં શિક્ષકો થકી ચાલતી નવતર પ્રવૃતિની વાત કરીએ, તો આવનાર પેઢી ઔષધિય જ્ઞાનથી અવગત થાય તે માટે ઓષધિબાગ તૈયાર કરાયું છે. કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવેલ છે, જેના થકી બાળકોને મધ્યાહન ભોજન થકી પૌષ્ટિક આહાર મળી રહે છે. શાળામાં ધોરણ 6થી 8ની બાળાઓને સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. શાળાના શિક્ષકો દ્વારા શાળાના સમય બાદ પણ બાળકોના ઘરે જઈને રાત્રે 8થી 10 ભણાવીને બાળકોની મુંઝવણ દુર કરવામાં આવે છે. આવી રીતે શાળાના ગુરુજનો સાચા અર્થમાં વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક બનીને ઘડતર કરી રહ્યા છે. આમ, લાખણકાની પ્રાથમિક શાળાના શિક્ષકોએ "મન હોય તો માળવે જવાય"ના સંદેશને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.