અમરેલી : સાવરકુંડલા-મહુવા રોડ પર 2 લોકોને કચડી મારનાર કાર ચાલક ઝડપાયો, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન...

મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકને હડફેટે લેતા બાઇક સવાર 5 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જેમાં 60 વર્ષીય વનીતા જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,

New Update
  • સાવરકુંડલાના મહુવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના

  • કારચાલાકે અડફેટે લેતા દાદી અને પૌત્રનું મોત નીપજ્યું

  • ગંભીર રીતે ઘાયલ 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • CCTVફૂટેજના આધારેપોલીસેકરીકારચાલકની ધરપકડ

  • પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

Advertisment

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મહુવા રોડ પર કારચાલાકે અડફેટે લેતા દાદી અને પૌત્રનું મોત નીપજ્યું હતુંજ્યારે ગંભીર રીતે ઘાયલ 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફહિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મહુવા રોડ પર 2 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. મહુવા રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઈકને હડફેટે લેતા બાઇક સવાર 5 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જેમાં 60 વર્ષીય વનીતા જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે બીજા દિવસે 15 વર્ષીય જય જોશીનું સારવાર દરમ્યાન મોત નીપજતા અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા.

એક જ પરિવારના 5 સભ્યોમાં 2 લોકોના મોત થયા છેજ્યારે હજુ 3 વર્ષીય બાળકી રિવા જોશીકેતન જોશી અને રિદ્ધિ જોશી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. તો બીજી તરફગમખ્વાર અકસ્માતનાCCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસેCCTVના આધારે કાર ચાલક અનક વાળાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી અનક વાળાને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. કારથી કેવી રીતે અક્સ્માત સર્જાયો તે મુદ્દે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી હતી. મોતના સાંઢની માફક ચલાવતા કાર ચાલક અનક વાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.