ગાંધીનગર : રાજ્યમાં રોડ-રસ્તા, પુલો અને હાઈવેની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ યોજી હાઈ લેવલ બેઠક, અધિકારીઓને કરાયા જરૂરી સૂચનો...

ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ-રસ્તા, પુલો અને હાઈવેની અત્યંત બિસ્માર સ્થિતિ થઈ છે જેને લઈ ભુપેન્દ્ર પટેલએ હાઈ લેવલ બેઠક યોજી

New Update
cmo gujarat

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ હાઈ લેવલ બેઠક યોજી ચોમાસા દરમ્યાન રોડ-રસ્તાપુલો અને હાઈવેની સ્થિતિ અંગે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ-રસ્તાપુલો અને હાઈવેની અત્યંત બિસ્માર સ્થિતિ થઈ છેત્યારે આ મામલે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ હાઈ લેવલ બેઠક યોજી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં જે કામોને ડિફેક્ટ લાયાબીલીટી પીરીયડમાં નુકશાન થાય તેવા કામોની કામગીરી પુરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટ તાકિદ કરી હતી.

વધુમાં રાજ્યની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓના રસ્તાઅન્ડરબ્રિજના પ્રશ્નો અંગે પણ તાત્કાલિક ધ્યાન અપાય અને લોકોને કામો થતાં દેખાય તેવી કામગીરી માટે મુખ્યમંત્રીએ સુચનાઓ આપી હતી. આ સાથે જ ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામો અપાયપૈસાની કમી નથી પણ કામો યોગ્ય અને ટકાઉ થવા જોઈએ તેવું બેઠક દરમ્યાન સૂચન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

કચ્છ :  BSF દ્વારા કુડા કેમ્પથી રાપર સુધી તિરંગા યાત્રા અંતર્ગત બાઇક રેલી યોજાઈ,દેશભક્તિના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી

New Update
  • રાપરમાંBSF દ્વારા યોજાઇ તિરંગા યાત્રા

  • BSFની 84 બટાલીયન દ્વારા આયોજન

  • 50 કિ.મી સુધી કરાયું બાઈક રેલીનું આયોજન

  • સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજ્યુ

  • તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી,અને સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો હતો.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લોદ્રાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલીયન દ્વારા તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. કંપની કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવના નેતૃત્વમાં યોજાયેલી તિરંગા યાત્રા અંતર્ગત બાઈક દ્વારા 50 કિમીનું અંતર કાપીને રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રેલીનું સમાપન થયું હતું.બાઈક રેલીમાં બાલાસર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ વી.એસ ઝા તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો.

સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો. લોકોમાં દેશભક્તિ અને દેશ પ્રત્યેના ગૌરવની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્યથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.