નર્મદા ડેમ મહત્તમ સપાટીને આંબતા CM દ્વારા અમૃત મુહૂર્તમાં નીરના વધામણા કરાયા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચ્યો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12.39 વાગે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરના વધામણા કર્યા

New Update

સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો

CM દ્વારા અમૃત મુહૂર્તમાં નવા નીરના કરાયા વધામણા

માઁ નર્મદાને મંત્રોચ્ચાર સાથે CM દ્વારા ચૂંદડી,શ્રીફળ અર્પણ કરાયા

ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક

એક મહિનામાં અંદાજીત 77.39 લાખ ક્યુસેક પાણી છોડાયું

સરદાર સરોવર ડેમ બનાવવાની પહેલ આઝાદી પહેલાંથી કરવામાં આવી હતી.1945માં સરદાર પટેલે તેની શરૂઆત કરી હતી.એપ્રિલ1961ના રોજ દેસના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ તેનું ખાતમૂહૂર્ત કર્યું હતું પણ અનેક કારણોસર પ્રોજેક્ટ લટકી રહ્યો. 1979માં નર્મદા વોટર ડિસ્પુટ ટ્રાઈબ્યૂનલે ડેમની ઉંચાઈ138.38 મીટર નક્કી કરી અને તેનું નિર્માણ શરૂ કરાયું.1995માં સુપ્રીમ કોર્ટે લોકોના વિસ્થાપન અને પર્યાવરણની ચિંતાને લઈને ડેમનું કામ રોકાવી દીદું.2006માં ડેમની ઊંચાઈને વધારીને121.92 મીટર કરવામાં આવી અને2017માં138.90 મીટરની મંજૂરી મળી. આ રીતે સરદાર સરોવર ડેમને પૂર્ણ કરવામાં લગભગ56 વર્ષ લાગ્યા.17 સપ્ટેમ્બર2017માં પીએમ મોદીએ તેને દેશને સમર્પિત કર્યું. સરદાર સરોવર ડેમની ઉંચાઈ138 મીટર છે. જે દેશનો સૌથી ઊંચો ડેમ છે. તેની શરૂઆત93 કરોડના બજેટથી કરવામાં આવી હતી. પરંતુ તેને બનાવવામાં65 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. સાથે જ ડેમ માટે86.20 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ થયો છે. ડેમમાં કુલ30 દરવાજા છે અને દરેક દરવાજાનું વજન450 ટન છે. ડેમનું વોટર સ્ટોરેજ કેપેસિટી47.3 લાખ ક્યૂબિક લિટર છે. સરદાર સરોવર ડેમથીરાજ્યો ગુજરાતમધ્યપ્રદેશમહારાષ્ટ્ર અને રાજસ્થાનનેલાભ મળે છે.તેનાથી18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભમળી રહ્યો છે. સિંચાઈની વાત કરીએ તો તેનાથી સૌથી વધુ ફાયદો ગુજરાતનેથાય છે. અહીંના15 જિલ્લાના3137 ગામને18.75લાખ હેક્ટર જમીનની સિંચાઈ થશે. વીજળીનો સૌથી વધારે એટલે કે57 ટકા ભાગ મધ્યપ્રદેશને મળ્યો છેમહારાષ્ટ્રને27 અને ગુજરાતને16 ટકા વીજળી મળી રહી છે. રાજસ્થાનને ફક્ત પાણી મળશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચ્યો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12.39 વાગે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરના વધામણા કર્યા હતા. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યુસેક પાણીની જાવક છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમ પર 12.39 વાગે અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચાર સાથે નર્મદા નદીના નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરી હતી.અને નર્મદા નીરના વધામણા કર્યા હતા.તેમજ નર્મદા માતાની આરતી ઉતારીને પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વરસાદની મોસમમાં નર્મદા ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલીને તારીખ 10 ઓગષ્ટ થી 27 સપ્ટેમ્બર 2024 સુધીમાં કુલ 77 લાખ 39 હજાર 786 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.