સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની ટિપ્પણીથી વિવાદ વકર્યો,જલારામ બાપા વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે' તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે.

New Update
gyanprakash Swami

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુની ટીપ્પણીને લઈ વિવાદ વકર્યો છે.'જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છેતેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે. જો કેઆ વિવાદાસ્પદ વાત પછી લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો છે.

જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હોવાનો જ્ઞાનપ્રકાશ સ્વામીએ દાવો કર્યો છે. સાથો સાથે કહ્યું કે, 'વીરપુરમાં ચાલતુ અન્નક્ષેત્ર ગુણાતિત સ્વામીના આર્શીવાદથી ચાલે છે. જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા,અને જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છેવધુમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા.'

જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, 'ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ હતું અને જલારામ બાપા સ્વામીજી વીરપુર આવ્યા ત્યારે લેવા ગયા હતાજ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપાએ ખૂબ સેવા કરી હોવાના પણ દાવો કર્યો છે. જોકે જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા વિશેની ટીપ્પણીથી ભારે વિવાદ વકર્યો છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.