New Update
જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ
ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન
પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન
53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ
મહાદેવ પર જળાભિષેક કરાયો
ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની ટિપ્પણીથી વિવાદ વકર્યો,જલારામ બાપા વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે' તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુની ટીપ્પણીને લઈ વિવાદ વકર્યો છે.'જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે' તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે. જો કે, આ વિવાદાસ્પદ વાત પછી લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો છે.
જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હોવાનો જ્ઞાનપ્રકાશ સ્વામીએ દાવો કર્યો છે. સાથો સાથે કહ્યું કે, 'વીરપુરમાં ચાલતુ અન્નક્ષેત્ર ગુણાતિત સ્વામીના આર્શીવાદથી ચાલે છે. જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા,અને જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે' વધુમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા.'
જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, 'ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ હતું અને જલારામ બાપા સ્વામીજી વીરપુર આવ્યા ત્યારે લેવા ગયા હતા' જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપાએ ખૂબ સેવા કરી હોવાના પણ દાવો કર્યો છે. જોકે જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા વિશેની ટીપ્પણીથી ભારે વિવાદ વકર્યો છે.
ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ
ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત | Featured | સમાચાર
ભરૂચ: આમોદની સમાચોકડી નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત, બાઈક સવાર મહિલાને ગંભીર ઇજા
આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજા થઈ ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો, નિમણુંકપત્ર વિતરણ સમારોહ યોજાયો
ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો ગુજરાત | સમાચાર |
ભરૂચ : લિંક રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સિક્યુરિટીની સજાગતાના પગલે તસ્કરો ફરાર...
ભરૂચના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર : શહેરના માર્ગો ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,નગરપાલિકાની સામે રોષ ઠાલવતા નગરજનો
અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: ગણેશ આયોજકો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાય બેઠક, વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા
અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર
રાજ્યકક્ષાની શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા !
ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ
ભરૂચ: આમોદની સમાચોકડી નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત, બાઈક સવાર મહિલાને ગંભીર ઇજા
ભરૂચ: જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો, નિમણુંકપત્ર વિતરણ સમારોહ યોજાયો
હિમાચલ પ્રદેશ: પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પીએમ મોદીને મળ્યા,આપત્તિથી થયેલા નુકસાન વિશે માહિતી આપી