દાહોદ : નિષ્ઠુર માતા પોતાની 2 દિવસીય બાળકીને ત્યજી ફરાર થઈ જતાં પોલીસ તપાસ શરૂ...

જિલ્લામાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે આવી છે.

New Update
દાહોદ : નિષ્ઠુર માતા પોતાની 2 દિવસીય બાળકીને ત્યજી ફરાર થઈ જતાં પોલીસ તપાસ શરૂ...

દાહોદ જિલ્લામાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે આવી છે. નિષ્ઠુર જનેતા માત્ર 2 દિવસની જન્મેલી બાળકીને નદીના બ્રીજ નીચે મૂકીને ફરાર થઈ હતી, ત્યારે પોલીસે બાળકીનો કબ્જો મેળવી તેની માતાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, દાહોદના છેવાડે આવેલા દૂધીમતી નદીના રળીયાતી બ્રીજ નજીક પોતાના પાપની કાળી કરતૂત છુપાવવા માટે નિષ્ઠુર માતા 2 દિવસની તાજી જન્મેલી નવજાત બાળકીને તરછોડી ફરાર થઈ ગઈ હતી, જ્યારે સવારના સમયે ત્યાંના સ્થાનિકોની નજર બાળકી પર પડતા પોલીસને અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમને જાણ કરાય હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા બાળ સુરક્ષા એકની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકીને શરીરે સામન્ય ઇજાઓ પહોચતા તેને જિલ્લા બાળ સુરક્ષા એકની ટીમે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી, ત્યારે હાલ તો પોતાનું પાપ છુપાવવા માટે નિષ્ઠુર બનેલી અજાણી માતાને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.   

Latest Stories