દાહોદ: ફરિયાદી જ નીકળ્યો આરોપી,સમાધાનમાં રૂપિયા ન આપવા પડે તે માટે રચ્યું લૂંટનું પ્રપંચ

દાહોદ તાલુકાના ખંગેલા ગામે ઘરમાં બાકોરૂ પાડીને 7 લૂંટારુ દાગીના તેમજ રોકડની લૂંટ કરી ગયા હોવાની ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

New Update
  • ખંગેલા ગામેઘરમાંબાકોરૂ પાડી રચ્યું લૂંટનું પ્રપંચ

  • ચાંદીના દાગીના અને રોકડની લૂંટની વાત વહેતી થઈ હતી

  • સમાધાનમાં રૂપિયા ન આપવા પડે માટે કાવતરૂ કર્યું

  • ફરિયાદી જ બન્યો આરોપી

  • પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો

દાહોદ તાલુકાના ખંગેલા ગામેઘરમાંબાકોરૂ પાડીને 7 લૂંટારુ દાગીના તેમજ રોકડની લૂંટ કરી ગયા હોવાની ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. જોકે આખી ઘટનામાં પોલીસની શંકા આખરે હકીકતમાં પરિણમી હતી.અને સમાધાનમાં કબુલેલા રૂપિયા આપવા ન પડે તે માટે ફરિયાદીએ જ લૂંટનું પ્રપંચ રચ્યું હોવાનું બહાર આવ્યું હતું. 

દાહોદ તાલુકાના ખંગેલા ગામના ધેડ ફળિયામાં હસુ નુરજી મેડાના ઘરમાં લૂંટ થઈ હોવાની ઘટનાથી પોલીસ વિભાગ દોડતું થઇ ગયું હતું. ખંગેલા પહોંચતા ત્યાં ઘરમાં બાકોરૂ પડેલુ જોવાયું હતું. આ સાથે ઘરના વેરવિખેર સામાન સાથે હસુના માથામાં ઇજાઓ સાથે હાથ ઉપર ત્રણ ટાંકા પણ આવેલા જોવા મળ્યા હતા. આ મામલે ગામના જ 7 લોકોએ હુમલો કરીને ધાડ પાડી હોવાની અરજી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ઘરમાં બાકોરૂ પાડીને 7 લોકોએ માર મારીને પેટીમાં મૂકી રાખેલા રોકડા રૂપિયા 3.0 લાખ અને આશરે સાડા 4 કિલો વજનના ચાંદીના દાગીનાની લૂંટ કરી ભાગી ગયા હતા.

આ બાબતે પોલીસને શંકા જતા તલસ્પર્શી તપાસના ભાગરૂપે ઉલટ તપાસ શરૂ કરાઇ હતી. ત્યારે થોડા સમય પહેલા થયેલા એક ઝઘડામાં 3.50 લાખ રૂપિયા આપવાની કબૂલાત બાદ સમાધાન થયું હતું. આ રૂપિયા આપવા ન પડે માટે પોતાના પરિવાર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું હોવાનો ભેદ ખુલતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઇ હતી.તરકટના ભાગરૂપે સૌ પ્રથમ હસુએ ઘરની દિવાલમાં પોતે જ બાકોરૂપાડીનાખ્યુ હતું.ત્યારબાદ પોતાના જ માથા ઉપર સામાન્ય ઘા સાથે હાથ ઉપર છરી વડે એવો ઘા કરાયો કે ત્રણ ટાંકા આવ્યા હતા. ઘરનો સામાન પણ વેરવિખેર કરી દેવાયો હતો. મધ્ય રાત્રે બૂમાબૂમ કરીને લોકોને ભેગા પણ કરવામાં આવતા તેઓ પણ ખરેખર લૂંટ થઈ હોવાનું સમજ્યા હતા.

પોલીસમાં જાણ કરતા પહેલા સોશિયલ મિડિયામાંતેનો પ્રચાર કરી દેવાયો હતો. ધાડના બનાવ અંગે ગામના જ 7 લોકોએ આ ધાડ પાડી હોવાની અરજી પોલીસને આપવામાં આવી હતી. ભેદ ઉકેલાતા હસુએ જ તમામ કબૂલાત કરીને માળિયા ઉપર સંતાડેલા દાગીના પોતે જ કાઢી આપ્યા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવાના આ પ્રકરણમાં કતવારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.