દાહોદ: દાઉદી વ્હોરા સમાજનો પ્રેરણાત્મક નિર્ણય,15 વર્ષથી ઓછી વયના બાળકોને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લગાવ્યો

દાહોદના દાઉદી વ્હોરા સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખી પહેલ કરવામાં આવી છે,જેમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ લદાયો  છે

New Update
  • દાઉદી વ્હોરા સમાજનો સાહસિક નિર્ણય

  • બાળકો હવે નહીં વાપરી શકે મોબાઈલ ફોન

  • 15 વર્ષથી ઓછી વયના બાળકો અંગે લેવાયો નિર્ણય

  • સમાજના ધર્મગુરુ દ્વારા કરાયું ફરમાન

  • સમાજના લોકોએ નિર્ણયને બિરદાવ્યો

દાહોદના દાઉદી વ્હોરા સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાટેઅનોખી પહેલ કરવામાં આવી છે,જેમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ લદાયો  છે,જે બાબત અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે.

મુંબઈ ખાતેના દાઉદી વ્હોરા સમાજના હેડક્વાટર ખાતેથી દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલિકદર મુફદ્દલ સાહેબ દ્રારા એક આદેશ સમાજમાં મોકલવામાં આવ્યો છે.જેમાં 15 વર્ષથી નાના બાળકોને મોબાઇલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે.આ સમાજમાં ધર્મગુરુના કોઈપણ આદેશ બાદ તેનું પાલન કરવું અનિવાર્ય રહેલું છે. કારણ કે આ સમાજમાં જે નિર્ણય મુંબઈ ખાતેના હેડક્વાટરથી પસાર કરવામાં આવે તો તેનું પાલન અવશ્ય થતું હોય છે.

બાળકોને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ માટે મસ્જિદોને કમિટીઓ બનાવવા માટે પણ સૂચનાઓ અપાઈ છે.સમાજના મોભીઓએ જણાવ્યું છે કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા ઉપરના પ્રતિબંધ વિશે સમાજના અલગ અલગ સંગઠનો બાળકોને જાગૃત કરવાની કામગીરી કરશે.અને સમાજના લોકોએ આ નિર્ણયને બિરદાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દાઉદી વ્હોરા સમાજ દ્વારા શરુ કરવામાં આવેલી આ પહેલ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે,અને આવનાર સમયમાં અન્ય સમાજ પણ આ પ્રમાણેનો નિર્ણય લેશે તેમ લાગી રહ્યું છે.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. 
Latest Stories