દાહોદ : NTPC સોલાર પ્લાન્ટમાં ફાટી નીકળેલી ભીષણ આગનો મામલો, રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ..!

દાહોદ અને ઝાલોદના ફાયર ફાઇટરોએ લગભગ 15 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યારે આગની ઘટનામાં રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ પણ લગાડવામાં આવ્યો

New Update
  • ભાટીવાડાનાNTPC સોલાર પ્લાન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ

  • બનાવના પગલે દાહોદ - ઝાલોદના ફાયર ફાઇટરો દોડી આવ્યા

  • ફાયર ફાઇટરોએ સમગ્ર રાત મહેનત કરી આગ પર કાબૂ મેળવ્યો

  • 15 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા લોકોમાં રાહત

  • આગની ઘટનામાં રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ લગાવાયો

દાહોદ જિલ્લાના ભાટીવાડા વિસ્તારમાં આવેલNTPC સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે દાહોદ અને ઝાલોદના ફાયર ફાઇટરોએ લગભગ 15 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતોજ્યારે આગની ઘટનામાં રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ પણ લગાડવામાં આવી રહ્યો છે.

દાહોદ જિલ્લાના ભાટીવાડા વિસ્તારમાં આવેલાNTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ગત તા. 21 એપીર્લ-2025ની રાત્રે ભીષણ આગ નીકળી હતી. આગ લાગતાની સાથે જ દાહોદ અને ઝાલોદના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતીજ્યાં સિક્યોરિટી ગાર્ડ સહિતના તમામ કર્મચારીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર ફાઇટરોએ આખી રાત સતત પાણીનો મારો ચલાવી 15 કલાક બાદ આગ ઉપર માંડ માંડ કાબૂ મેળવ્યો હતો. તો બીજી તરફઝાલોદ નજીક ફાયર બ્રિગેડનું વાહન પણ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જોકેઆ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભીષણ આગની ઘટનાની ગંભીરતાને જોતા દાહોદના એસપીડીવાયએસપી અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે વિસ્તારને સુરક્ષિત કરી ફાયર વિભાગને મદદ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આગના કારણે 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.NTPC અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેદાહોદના નવીન ઊર્જા ક્ષેત્રે આ સોલાર પ્લાન્ટ મહત્વનો છે. આ ઘટનાથી પ્રોજેક્ટમાં વિલંબ થવાની અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર અસર પડવાની આશંકા છે.

Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.