Connect Gujarat
ગુજરાત

દાહોદ: રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારી માટે કોંગ્રેસનાં નેતાઓની યોજાય બેઠક

દાહોદમાં તારીખ 10મેના રોજ રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા અગત્યની બેઠક યોજાય હતી

X

દાહોદના એપીએમસી કોન્ફ્રન્સ હોલમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ બેઠક કરી હતી. તારીખ 10 મેના રોજ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના કાર્યક્રમનુ દાહોદમાં આયોજન કરવામાં આવ્યું છે અને તેઓ આદિવાસી સંમેલમાં સંબોધન કરશે ત્યારે કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન્મ મોટી સંખ્યામાં લોકો હાજરી આપે એ પ્રકારનું આયોજન કરવા સ્થાનિક નેતાઓને પ્રદેશના નેતાઓએ સૂચના આપી હતી.

આ કાર્યક્રમમાં 2 લાખ લોકોની જનમેદની એકઠી કરવાનો ટાર્ગેટ રાખવામા આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાહુલ ગાંધીનો કાર્યક્રમ તારીખ 1લી મેના રોજ યોજાનાર હતો પણ એ રદ્દ રાખવામા આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલમાં ભાજપમાં પ્રવેશ અંગે જણાવ્યુ હતું કે ભાજપ પાસે હવે કોઈ નેતૃત્વ રહ્યું નથી આથી અઠવાડિયે 10 દિવસે કોંગ્રેસના એક આગેવાનને લઈ જય રહી છે અને કોંગ્રેસ તૂટે છે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે

Next Story