દાહોદ: ચકચારી મિલાપ શાહ હત્યા કેસમાં બે આરોપીઓની મુંબઈથી પોલીસે કરી ધરપકડ,જુઓ શું હતુ હત્યાનું કારણ

દેસાઇવાડામાં યુવકની હત્યા બાદ લૂંટ કેસમાં પોલીસે બે યુવકની મુંબઇના નાલાસોપારાથી ધરપકડ કરી છે.આ મામલામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

New Update
દાહોદ: ચકચારી મિલાપ શાહ હત્યા કેસમાં બે આરોપીઓની મુંબઈથી પોલીસે કરી ધરપકડ,જુઓ શું હતુ હત્યાનું કારણ

દાહોદના દેસાઇવાડામાં યુવકની હત્યા બાદ લૂંટ કેસમાં પોલીસે બે યુવકની મુંબઇના નાલાસોપારાથી ધરપકડ કરી છે.આ મામલામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

દાહોદના સુમેર એપાર્ટમેન્ટમાં રહેતાં મિલાપ કુશકુમાર શાહની 25મીની રાત્રે નેપાળના બાંકે જિલ્લાના ધમબોજી ગામના 28 વર્ષિય સુરજ રમેશસિંહ કેશી દ્વારા રિદ્ધિસિદ્ધ એપાર્ટમેન્ટના ત્રીજા માળે છરા વડે ઘાતકી હત્યા કરી હતી.આ ગંભીર ઘટનામાં ડીઆજી રાજેન્દ્ર અસારી અને એસ.પી ડો.રાજદીપસિંહ ઝાલાએ મેદાને પડીને હત્યા નેપાળી યુવક સુરજ દ્વારા કરી હોવાનું પ્રસ્થાપિત કરી લીધુ હતું. દાહોદ પોલીસે મુંબઇના નાલાસોપારાથી હત્યારા સુરજ સાથે મુંબઇના બોઇસર ત્રિવેદી નગરના રણજીત રવિન્દ્રનાથ પોલની અટકાયત કરી હતી.તલસ્પર્શી તપાસમાં ખુલ્યુ હતુ કે, મિલાપભાઇને ધમકાવીને દાગીનાની લુંટ કરવા માટે સુરજ, રણજીત અને પાલઘરમાં રેલવે ટ્રેક ઉપરથી મૃત મળેલા નેપાળના મદન થાપાએ 24મી તારીખે શહેરના જુની કોર્ટ રોડથી છરો ખરીદ્યો હતો. હત્યા બાદ મિલાપભાઇએ શરીરે પહેરેલા 3.84 લાખ રૂપિયાના દાગીના લુંટીને સુરજ તેમનું જ એક્સિસ લઇને રેલવે સ્ટેશન આવી ગયો હતો અને તેઓ ટ્રેન દ્વારા ફરાર થઇ ગયા હતાં. આ પ્રકરણમાં પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ:સામાજિક સેવાકાર્યો અર્થે ગરુડ સેનાની રચના, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા કરાશે પ્રયાસ

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સામાજિક સેવાના હેતુથી પ્રારંભ કરાયો

  • ગરુડ સેના નામના પ્રકલ્પનો પ્રારંભ

  • રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો કરાશે

  • સેજલ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી સામાજિક ક્ષેત્રે કાર્યરત સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ અને દાનુ ભરવાડની આગેવાનીમાં ગરુડ સેના નામની એક નવી સંસ્થાની રચના કરવામાં આવી છે. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ કલ્યાણના કાર્યો હાથ ધરવાનો છે.ગરુડ સેના દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદોને મદદ, પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ ક્ષેત્રે સહાય, આરોગ્ય જાગૃતિ અને અન્ય સામાજિક કાર્યો કરવામાં આવશે. આ પહેલ દ્વારા  ભરૂચના નાગરિકોના સહયોગથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરાશે
Latest Stories