દાહોદ : પોલીસ મથકે મૃતદેહને મુકી ટોળાએ મચાવ્યો હોબાળો, પોલીસના મારથી મોત થયું હોવાનો કર્યો આક્ષેપ..!

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો

New Update
દાહોદ : પોલીસ મથકે મૃતદેહને મુકી ટોળાએ મચાવ્યો હોબાળો, પોલીસના મારથી મોત થયું હોવાનો કર્યો આક્ષેપ..!

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન દારૂ લઈને જતા યુવકોને પકડવા પોલીસ દોડી હતી. જેમાં ચાલુ ગાડીએ લાકડી મારતા 2 યુવકો પટકાતાં ઘાયલ થયા હતા, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજયું હતું. બનાવના પગલે મૃતકના સ્વજનોએ પોલીસ મથક બહાર મૃતદેહ મુકી ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં પોલીસના મારથી યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પોલીસ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અઘિકારી દ્વારા મૃતકના સ્વજનોને ફોરેન્સિક પીએમની ખાતરી પણ આપવામાં આવી હતી. જો કોઈ આ ઘટનામાં સામેલ હશે તો તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે ASPએ જણાવ્યુ હતું.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.