દાહોદ:પ્રાથમિક શાળાની બાળકીના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો,આચાર્ય જ નીકળ્યો આરોપી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યો હતો,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને શાળાના આચાર્યની જ આરોપી તરીકે ધરપકડ કરી હતી.

New Update

દાહોદમાં શાળાની બાળાના રહસ્યમય મોતનો મામલો

પોલીસને ઘટનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા

શાળાનો આચાર્ય જ નીકળ્યો હત્યારો

શારીરિક અડપલાનો બાળકીએ કર્યો હતો પ્રતિકાર

આચાર્યે બાળકીનું મોઢું દબાવીને હત્યા કરી હતી 

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યો હતો,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને શાળાના આચાર્યની જ આરોપી તરીકે ધરપકડ કરી હતી.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાનીતોરણી પ્રાથમિક શાળા ખાતે બાળકીના રહસ્યમય મોત અંગેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો.શાળાના આચાર્ય ગોવિંદ નટ બાળકીને શાળાએ લઇ જવા માટે પોતાની કારમાં સાથે લઇ ગયો હતો,અને સાંજના સમયે શાળા છૂટ્યા બાદ પણ બાળકી સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનોએ ચિંતિત થઈને બાળકીની શોધખોળ શરૂ કરી હતી.અને બાળકીનો  મૃતદેહ શાળાની પાછળના ભાગેથી મળી આવ્યો હતો.જે ઘટના અંગે જિલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલા દીકરીના મોત મામલે રાતોરાત શાળા ખાતે ફોરેન્સિક ટીમ એલસીબી તેમજ એસઓજી પોલીસની ટીમ સાથે દોડી આવ્યા હતા,અને બાળકીના મોત અંગેનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ઘટનામાં શાળાના આચાર્ય દ્વારા પણ શરૂઆતમાં પોલીસને પોતે નિર્દોષ હોવાનો ઢોંગ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો,જોકે શાળાના બાળકોની પોલીસે પૂછપરછ કર્યા બાદ ઘટના પરથી પડદો ઊંચકાયો હતો.અને શાળાના આચાર્યે ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલ કરીને સમગ્ર ઘટના અંગે પોલીસને હકીકત જણાવી હતી,જેમાં આચાર્ય ગોવિંદે બાળકી સાથે શારીરિક અડપલા કરતા જેનો બાળકીએ પ્રતિકાર કર્યો હતો,તેથી ગોવિંદે બાળકીનું મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે બાળકીના હત્યારા ગોવિંદ નટની ધરપકડ કરીને હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. 

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.