દાહોદ : જમીન કૌભાંડ મામલે પોલીસે જમીન દલાલ સહિત માલિકોની ધરપકડ કરી

દાહોદ જિલ્લામાં જમીન કૌભાંડ મામલે પોલીસે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. તેવામાં જમીન દલાલ અને માલિકોની ધરપકડ કરતા અન્ય ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

New Update
  • નકલીNA પ્રકરણ ગુજરાતભરમાં મચાવી રહ્યો છે હાહાકાર

  • જમીન કૌભાંડમાં ભુમાફિયાઓ સામે પોલીસની લાલ આંખ

  • જમીન દલાલ - માલિકોની ધરપકડ પોલીસે કરી ધરપકડ

  • પોલીસની કાર્યવાહીના પગલે અન્ય ભુમાફિયાઓમાં ફફડાટ

  • જમીન કૌભાંડ આચરનારા ભેજાબાજો જેલના સળિયા પાછળ

દાહોદ જિલ્લામાં જમીન કૌભાંડ મામલે પોલીસે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. તેવામાં જમીન દલાલ અને માલિકોની ધરપકડ કરતા અન્ય ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

દાહોદમાં નકલીNA પ્રકરણ ગુજરાતભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. દાહોદમાં 219 જેટલા સર્વે નંબરોની જમીનોમાં પ્રીમિયમ ચોરી હેતુફેર નકલી બીનખેતી જમીન હુકમો સહિતના કૌભાંડોનો ભાંડો ફૂટતા પોલીસે અલગ અલગ જમીનોના સર્વે નંબરોમાં અત્યાર સુધી કુલ 4 FIR નોંધી છે. જેમાં જમીનોના માસ્ટર માઈન્ડ અને ભુમાફિયા તરીકે ઓળખાતા સેશવ શિરીષચંદ્ર પરીખની સમગ્ર કૌભાંડમાં સંડોવાણી બહાર આવી હતીત્યારે જમીન માલિક જકરીયા ટેલરજમીન માલિક હારુન પટેલજિલ્લા પંચાયતના ચીટનીશ વિપુલ ડામોરસીટી સર્વે કચેરીના શિરસ્તેદાર દિનેશ પરમારસર્વેયર રાહુલ ચાવડા અને મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર અદનાન જેલમાં છે.

તેવામાં મુખ્ય ભેજાબાજ તરીકે ઓળખાતો સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી અને નામચીન બિલ્ડર કુતબી રાવત બન્ને પોલીસ પકડથી દૂર છે. પોલીસે અલગ અલગ 4 ગુનાઓમાં અત્યાર સુધી 19 લોકોની અટકાયત કરી જેલ ભેગા કર્યા છેજેમાંથી જમીન માલિક મઝહર કાગદીઅજીજ પટેલગોપાલ સોની,મુસ્તુફા જીરૂવાળા અને જમીન દલાલ પવન અગ્રવાલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચેય આરોપીઓના 5 દિવસના રીમાન્ડ મંજુર કરી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છેત્યારે પોલીસ તપાસમાં કેવા પ્રકારના ખુલાસાઓ થાય છે તે હવે જોવું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે219 સર્વે નંબરોમાંથી 4 ગુનાઓ નોંધાયા છેઅને સરકારી અધિકારીઓ જમીન માલિકોજમીન દલાલો તેમજ જમીનોમાં કૌભાંડો આચરનારા મુખ્ય ભેજાબાજો જેલના સળિયા પાછળ ધકેલાયેલા છે. જેમાંથી કેટલાક આરોપીઓએ જેલમુક્ત થવા માટે જામીન મુકી હતી. પરંતુ સેશન્સ અને હાઇકોર્ટ બન્ને નામદાર કોર્ટએ તેમના જામીન રદ કર્યા હતાત્યારે હવે અન્ય બાકી રહેલા જમીન કૌભાંડના ગુનાઓમાં ફોજદારી ગુનાઓ નોંધાવાના બાકી છે. જેમાં કેવા પ્રકારના લોકોની સંડોવણી બહાર આવે છે તે પણ હવે જોવું રહ્યું.

Read the Next Article

સુરત : અમરોલીમાં યુવકને ચપ્પુ બતાવી રૂ. 7 લાખની ચલાવનાર 2 લૂંટારુઓ આણંદના તારાપુરથી ઝડપાયા...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ

New Update

અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના

યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ

લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા

રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકેલૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતીઅને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.