દાહોદ : ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ 2 સંતાનનું ગળું દબાવી કરી હત્યા…

દાહોદ જિલ્લાના ડુંગરી ગામે ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ ગંભીર પગલું ભર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

New Update
દાહોદ : ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ 2 સંતાનનું ગળું દબાવી કરી હત્યા…

દાહોદ જિલ્લાના ડુંગરી ગામે ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ ગંભીર પગલું ભર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના 2 સંતાનનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ જિલ્લાના ડુંગરી ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં પિતાએ જ પુત્ર અને પુત્રીની હત્યા કરી છે. ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બન્ને સંતાનની ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે બન્ને સંતાનનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતકમાં 12 વર્ષીય બાળકી અને 7 વર્ષીય બાળકની હત્યા કરી છે. ઘટના સ્થળેથી બન્ને બાળકોના મૃતદેહને પોસ્ત્ર્મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો લીમડી પોલીસે સ્યુસાઈડ નોટના આધારે આરોપી પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

New Update
  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર

  • ડેમમાં 53 ટકાથી વધુનો પાણી ઉપલબ્ધ

  • 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ

  • રાજ્યમાં પાણીની અછત નહી સર્જાય તેવો દાવો

  • નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે 

ગુજરાતમાં ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છેજ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કેતારીખ 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81  ટકા જળ સંગ્રહ હતો. તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહદક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકાસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી  બાવળીયા તેમજ  રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં  સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનનલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે.

Latest Stories