Connect Gujarat
ગુજરાત

‘વિદ્યાના ધામમાં ડામ’ ખેડબ્રહ્માની નચિકેતા વિદ્યાલય સંસ્થાના સંચાલકે બાળકોને 3 મહિના પહેલા આપેલા ડામનો ભાંડો ફૂટ્યો...

અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યાલય સંસ્થામાં બાળકોને તાલીબાની સજા આપવામાં આવી છે.

X

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યાલય સંસ્થામાં બાળકોને તાલીબાની સજા આપવામાં આવી છે. ખેરુજ ખાતે આવેલ નચિકેતા વિદ્યાલય સંસ્થા ખાતે 13 જેટલા બાળકોને તાલિબાની સજા આપવામાં આવી હોવાની વાલી દ્વારા રજુઆત કરવામાં આવી છે. સમગ્ર ઘટના ત્રણ મહિના અગાઉ બની હતી. ઘટના બન્યા બાદ રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ના થતા જિલ્લા કલેકટર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે. તો બીજી તરફ સંસ્થામાં હાજર રહેલ કર્મચારી સાથે વાત કરતા કર્મચારીએ જણાવ્યું હતું કે સંસ્થામાં કોઈ હાજર નહોતું તે સમયે બાળકો દ્વારા અંદરો અંદર આ કાર્ય કરવામાં આવ્યું હતું.

Next Story