જૂનાગઢ: ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલનાં મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી

જૂનાગઢના ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.

New Update

ગિરનાર પર્વત પાસેથી મૃતદેહ મળવાનો મામલો 

પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી ભર્યું અંતિમ પગલું 

પરણિત મહિલા અને પુરુષ બંધાયા હતા પ્રેમસંબંધમાં 

સુરતનું પ્રેમી યુગલ 5 સપ્ટેમ્બરથી હતું ગુમ 

જૂનાગઢ પોલીસે આધારકાર્ડથી કરી બંનેની ઓળખ   

જૂનાગઢના ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગુરુ ગોરખનાથની ટૂંક પાસેની ખીણમાંથી એક અજાણી મહિલા અને એક પુરુષના વિકૃત હાલતમાં મૃતદેહ હોવાની જાણ થતા ભવનાથ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી,અને મૃતદેહની તપાસ દરમિયાન બંનેના આધારકાર્ડ મળી આવ્યા હતા,જેમાં સુરતના કોળવાડ વિસ્તારમાં રહેતા દીપક વેકરીયા અને કામરેજની ચૈતાલી લાખણકિયા નામનું પ્રેમી યુગલ હોવાનું ખુલ્યું હતું,મૃતદેહ પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવતા પ્રેમી યુગલે દવા પી મોત વ્હાલું કર્યાનું તપાસમાં ખુલ્યું હતું, મૃતક મહિલા પરિણીત છે અને બે દીકરીઓની માતા છે જ્યારે પુરુષ પણ પરિણીત હોય અને હાલમાં તેના છૂટાછેડા થયા હતા.અને બંને એક જ સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી રહેતા હતા અને પ્રેમ સંબંધમાં બંધાયા હોવાનું તેમના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ સુરત પોલીસમાં 5 સપ્ટેમ્બરે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઇ હતી.ત્યારબાદ બંને જૂનાગઢ આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે,હાલ પોલીસે લાશનો કબજો લઈ જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.