જૂનાગઢ: ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલનાં મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી

જૂનાગઢના ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.

New Update

ગિરનાર પર્વત પાસેથી મૃતદેહ મળવાનો મામલો 

Advertisment

પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી ભર્યું અંતિમ પગલું 

પરણિત મહિલા અને પુરુષ બંધાયા હતા પ્રેમસંબંધમાં 

સુરતનું પ્રેમી યુગલ 5 સપ્ટેમ્બરથી હતું ગુમ 

જૂનાગઢ પોલીસે આધારકાર્ડથી કરી બંનેની ઓળખ   

જૂનાગઢના ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગુરુ ગોરખનાથની ટૂંક પાસેની ખીણમાંથી એક અજાણી મહિલા અને એક પુરુષના વિકૃત હાલતમાં મૃતદેહ હોવાની જાણ થતા ભવનાથ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી,અને મૃતદેહની તપાસ દરમિયાન બંનેના આધારકાર્ડ મળી આવ્યા હતા,જેમાં સુરતના કોળવાડ વિસ્તારમાં રહેતા દીપક વેકરીયા અને કામરેજની ચૈતાલી લાખણકિયા નામનું પ્રેમી યુગલ હોવાનું ખુલ્યું હતું,મૃતદેહ પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવતા પ્રેમી યુગલે દવા પી મોત વ્હાલું કર્યાનું તપાસમાં ખુલ્યું હતું, મૃતક મહિલા પરિણીત છે અને બે દીકરીઓની માતા છે જ્યારે પુરુષ પણ પરિણીત હોય અને હાલમાં તેના છૂટાછેડા થયા હતા.અને બંને એક જ સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી રહેતા હતા અને પ્રેમ સંબંધમાં બંધાયા હોવાનું તેમના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ સુરત પોલીસમાં 5 સપ્ટેમ્બરે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઇ હતી.ત્યારબાદ બંને જૂનાગઢ આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે,હાલ પોલીસે લાશનો કબજો લઈ જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment