બોટાદ: સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવને ગુરુપૂર્ણિમાએ સુવર્ણ વાઘાનો શણગાર

બોટાદ તાલુકાના સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તિ નો સાગર છલકાયો હતો. આજના

New Update

બોટાદ તાલુકાના સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તિ નો સાગર છલકાયો હતો. આજના પ્રસંગ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે,જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.

 કષ્ટભંજન દેવને ગુરુપૂર્ણિમાએ સુવર્ણ વાઘાનો શણગાર

બોટાદ તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદાને સુંદર  શણગાર કરવામાં આવ્યો હતો,આ અવસરે હનુમાનજીને સુવર્ણ વાઘા નો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સાળંગપુરમાં ભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી,જ્યારે કેટલાક દાદા ના ભક્તો એ રાત્રી રોકાણ કરીને દાદાની પહેલી આરતીનો લ્હાવો પણ લીધો હતો.વધુમાં ગુરુપૂર્ણિમાના અવસરે ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.અને દાદાના ભક્તિરસ માં ભક્તો તરબોળ બન્યા હતા.   

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.