ગુજરાત સરકારની મહાકુંભ બસ સેવાને બિરદાવતા શ્રદ્ધાળુઓ,મોટી સંખ્યામાં યાત્રીઓએ કરી વોલ્વો બસમાં આરામદાયક સફર

GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો

New Update
  • રાજ્યના ST વિભાગની મહાકુંભ બસ સેવા

  • મહાકુંભ બસ સેવા યાત્રીઓ માટે આશીર્વાદરૂપ

  • યાત્રીઓએ રાજ્ય સરકારની સેવાને બિરદાવી

  • મહાકુંભ બસ સેવાનો લ્હાવો લેતા યાત્રીઓ

  • આરામદાયક સફરના યાત્રીઓએ કર્યા વખાણ

Advertisment

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભ માટે GSRTCની વિશેષ વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે,મહાકુંભ બસ સેવાનો લાભ લેતા યાત્રીઓએ સરકારની બસ સેવાને બિરદાવી હતી.

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે.આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા ગુજરાત ST વિભાગે રાજ્યના ચાર શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે દરરોજ AC વોલ્વો બસ દોડાવવાની અનોખી પહેલ કરી છે,જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની આત્મીયતા અને સમર્પણ દર્શાવે છે.

GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો હતો.27 જાન્યુઆરીથી પ્રારંભ થયેલી આ સેવાનો અત્યાર સુધી હજારો લોકોએ લાભ લીધો છે.   

અમદાવાદના નારાયણપુરાના રહેવાસી અજય કંસારાએ મહાકુંભની મહાયાત્રાનો અનુભવ જણાવ્યો. તેમણે ગુજરાત ST નિગમની કામગીરીને આશીર્વાદરૂપ ગણાવી. સાથે જ તમામ બસોમાં આરામદાયક સીટસ્લીપર કોચ, AC અને નોન-AC વિકલ્પોતેમજ સુરક્ષા માટે CCTV અને GPS ટ્રેકિંગ સિસ્ટમ હોવાથી કોઈ પણ મુશ્કેલી આવી ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment