ગુજરાત સરકારની મહાકુંભ બસ સેવાને બિરદાવતા શ્રદ્ધાળુઓ,મોટી સંખ્યામાં યાત્રીઓએ કરી વોલ્વો બસમાં આરામદાયક સફર

GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો

New Update
  • રાજ્યના ST વિભાગની મહાકુંભ બસ સેવા

  • મહાકુંભ બસ સેવા યાત્રીઓ માટે આશીર્વાદરૂપ

  • યાત્રીઓએ રાજ્ય સરકારની સેવાને બિરદાવી

  • મહાકુંભ બસ સેવાનો લ્હાવો લેતા યાત્રીઓ

  • આરામદાયક સફરના યાત્રીઓએ કર્યા વખાણ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભ માટે GSRTCની વિશેષ વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે,મહાકુંભ બસ સેવાનો લાભ લેતા યાત્રીઓએ સરકારની બસ સેવાને બિરદાવી હતી.

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે.આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા ગુજરાત ST વિભાગે રાજ્યના ચાર શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે દરરોજ AC વોલ્વો બસ દોડાવવાની અનોખી પહેલ કરી છે,જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની આત્મીયતા અને સમર્પણ દર્શાવે છે.

GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો હતો.27 જાન્યુઆરીથી પ્રારંભ થયેલી આ સેવાનો અત્યાર સુધી હજારો લોકોએ લાભ લીધો છે.   

અમદાવાદના નારાયણપુરાના રહેવાસી અજય કંસારાએ મહાકુંભની મહાયાત્રાનો અનુભવ જણાવ્યો. તેમણે ગુજરાત ST નિગમની કામગીરીને આશીર્વાદરૂપ ગણાવી. સાથે જ તમામ બસોમાં આરામદાયક સીટસ્લીપર કોચ, AC અને નોન-AC વિકલ્પોતેમજ સુરક્ષા માટે CCTV અને GPS ટ્રેકિંગ સિસ્ટમ હોવાથી કોઈ પણ મુશ્કેલી આવી ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીનો અપાયો આખરી ઓપ

૨૧ નવેમ્બરના ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં યોજાશે કાર્યક્રમઃ એકહજારથી વધુ જવાનો દેશભરમાંથી આવ્યાઃ રિહર્સલમાં વિવિધ કરતબો રજૂ કરાયા, દેશની સરહદે કોઈ પણ પરિસ્થિતિમાં સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી

New Update
MixCollage-19-Nov-2025-09-45-PM-2633

૨૧ નવેમ્બરના ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં યોજાશે કાર્યક્રમઃ એકહજારથી વધુ જવાનો દેશભરમાંથી આવ્યાઃ રિહર્સલમાં વિવિધ કરતબો રજૂ કરાયા

દેશની સરહદે કોઈ પણ પરિસ્થિતિમાં સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી સંભાળતા બીએસએફના સ્થાપના દિવસ આ વર્ષે ભુજ ખાતે ઉજવાશે. ભુજના મુન્દ્રા રોડ પર ૧૭૬ બટાલિયન ખાતે ૨૧ નવેમ્બરના ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બીએસએફનો ૬૧મો સ્થાપના દિવસ ઉજવાશે. આતમામ તૈયારીઓનું આજે રિહર્સલે કરવામાં આવ્યું હતું. એક હજારથી વધુ જવાનોએ પરેઢ કરીહતી. આ સાથે ઊંટ સવાર જવાનો, અશ્વ રાઈડ, બેન્ડ પાર્ટી સાથે ભારતીય બ્રિડનાશ્વાનોદ્વારાપ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

બીએસએફ મહિલા બેન્ડપાર્ટીએદેશભક્તિના સૂર રેલાવ્યાહતા. એન્ટી ડ્રોન સિસ્ટમનુંનિદર્શન કરવાસાથે ડ્રોન હુમલો કેવી રીતે થાય છેઅને તેમાં ક્યા ક્યાપ્રકારની કામગીરી કરવામાં આવે છે તેનુંનિદર્શન કરવામાંઆવ્યું હતું.

૨૧નવેમ્બરનાગૃહમંત્રીઅમિતશાહબીએસએફના ૬૧મા સ્થાપનાદિવસની ઉજવણીમાં સહભાગીથવા આવી રહ્યાછેતેનાભાગરૂપેરિર્ક્સલ કરવામાંઆવ્યુંહતું. ઓપરેશનસિંદુર સહિતનીવિવિધ ઝાંખીઓ રજૂકરાઈહતી. આ સાથે ઢોલ વગાડી ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂકરવામાં આવી હતી.આકાશમાં પ્રેનદ્વારા તિરેંગોબનાવવામાં આવ્યોહતો. બાઈકનાદિલધડક કરતબજોઈને ઉપસ્થિત સૌએતાડીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આકાર્યક્રમમાંબીએસએફના ડીજીદલજીતસિંહચૌધરી, ગુજરાત બીએસએફના આઈ.જી.અભિષેકપાઠકસહિતનાવરિષ્ઠ અધિકારીનો તેમજએવોર્ડવિજેતાઓઅને પરિવારજનો તેમજ વિદ્યાર્થીઓમોટી સંખ્યામાંજોડાયા હતા.