/connect-gujarat/media/post_banners/11b44e0f2e26139e25392015f3846c3f31eb0e2d4d3cf71096583a6478202dfa.jpg)
બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં શીશ ઝુકાવ્યુ હતું અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી
બાબા બાગેશ્વર હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરતમાં અને અમદાવાદમાં તેમનો બે દિવસે દરબાર યોજાયો હતો અને હવે રાજકોટ ખાતે આગામી એક અને બે જૂને રાજકોટના પ્રવાસે છે તે દરમિયાન તેઓ કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા લોક સાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવી સહિતના લોકો બાબા બાગેશ્વરને આવકારવા એરપોર્ટ પર હાજર રહ્યા હતા.ત્યારે બાબાનું આગમન થતાં જુદા જુદા ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના આગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. કેશોદ બાદ તેઓ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા અને દેવાધિદેવા મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી