અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી
સાવરકુંડલામાં અનોખી રીતે ઉજવણી કરાય
ગણપતિને ચલણી નોટથી કરાયો શણગાર
રૂ.21 લાખની ચલણી નોટથી શણગાર કરાયો
ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
આ છે સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદભાવના ગ્રૂપનો ગણપતિ મહોત્સવ...જેમાં શ્રી ગણેશને લખપતિ બનાવાયા છે અને એ પણ કડકડતી ચલણી નોટોથી ગણપતિ બા્પાનો શણગાર કરવામાં આવ્યો છે રૂ.20થી લઈને 50, 100, 200 અને 500ની ચલણી નોટો વડે ગણપતિ બાપાનો શણગારવામાં આવ્યો છે. ગણપતિ લખપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટી રહી છે. આકર્ષક ફ્લોટ માં 21 લાખની રોકડ સાથે ગણપતિ લખપતિ બનતા જોવા દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે