અમરેલી: સાવરકુંડલામાં રૂ.21 લાખની ચલણી નોટથી દુંદાળા દેવ શ્રી ગણેશને શણગાર કરાયો, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ મહોત્સવમાં ગણપતિને લખપતિ બનાવ્યા છે.જોઈએ આ વિશેષ અહેવાલ

New Update

અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી

સાવરકુંડલામાં અનોખી રીતે ઉજવણી કરાય

ગણપતિને ચલણી નોટથી કરાયો શણગાર

રૂ.21 લાખની ચલણી નોટથી શણગાર કરાયો

ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ મહોત્સવમાં ગણપતિને લખપતિ બનાવ્યા છે.જોઈએ આ વિશેષ અહેવાલ

આ છે સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદભાવના ગ્રૂપનો ગણપતિ મહોત્સવ...જેમાં શ્રી ગણેશને  લખપતિ બનાવાયા છે  અને એ પણ કડકડતી ચલણી નોટોથી  ગણપતિ બા્પાનો શણગાર કરવામાં આવ્યો છે  રૂ.20થી લઈને 50, 100, 200 અને 500ની ચલણી નોટો વડે ગણપતિ બાપાનો  શણગારવામાં આવ્યો છે. ગણપતિ લખપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટી રહી છે. આકર્ષક ફ્લોટ માં 21 લાખની રોકડ સાથે ગણપતિ લખપતિ બનતા જોવા દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે
છેલ્લા 22 વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પ્રથમ વાર 5 લાખની ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર સજાવવામાં આવ્યો હતો  અને આજે 21 લાખ રૂપિયાથી ગણપતિને લખપતિ બનાવવામાં આવ્યા છે
Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.