અમરેલી: સાવરકુંડલામાં રૂ.21 લાખની ચલણી નોટથી દુંદાળા દેવ શ્રી ગણેશને શણગાર કરાયો, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ મહોત્સવમાં ગણપતિને લખપતિ બનાવ્યા છે.જોઈએ આ વિશેષ અહેવાલ

New Update

અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી

સાવરકુંડલામાં અનોખી રીતે ઉજવણી કરાય

ગણપતિને ચલણી નોટથી કરાયો શણગાર

રૂ.21 લાખની ચલણી નોટથી શણગાર કરાયો

ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ મહોત્સવમાં ગણપતિને લખપતિ બનાવ્યા છે.જોઈએ આ વિશેષ અહેવાલ

આ છે સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદભાવના ગ્રૂપનો ગણપતિ મહોત્સવ...જેમાં શ્રી ગણેશને  લખપતિ બનાવાયા છે  અને એ પણ કડકડતી ચલણી નોટોથી  ગણપતિ બા્પાનો શણગાર કરવામાં આવ્યો છે  રૂ.20થી લઈને 50, 100, 200 અને 500ની ચલણી નોટો વડે ગણપતિ બાપાનો  શણગારવામાં આવ્યો છે. ગણપતિ લખપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટી રહી છે. આકર્ષક ફ્લોટ માં 21 લાખની રોકડ સાથે ગણપતિ લખપતિ બનતા જોવા દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે
છેલ્લા 22 વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પ્રથમ વાર 5 લાખની ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર સજાવવામાં આવ્યો હતો  અને આજે 21 લાખ રૂપિયાથી ગણપતિને લખપતિ બનાવવામાં આવ્યા છે
Read the Next Article

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.