દ્વારકા : ખંભાળીયા- દ્વારકા હાઇવે ભારે વરસાદના કારણે બંધ, વાહનોની લાગી કતાર

New Update
દ્વારકા : ખંભાળીયા- દ્વારકા હાઇવે ભારે વરસાદના કારણે બંધ, વાહનોની લાગી કતાર

રાજયમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઇ ગયાં છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં ખંભાળીયા - દ્વારકા હાઇવે બંધ થઇ ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ ગઈ કાલે સાંજથી જ ભારે વરસાદ વરસ્યો હતો અને કલ્યાણપુર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે આવેલ હાઇવે પર આપવામાં આવેલાં ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. હાઇવે બંધ થઇ જતાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં અટવાય ગયાં હતાં. ખંભાળીયાથી દ્વારકાને જોડતાં હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે લીમડી પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણ ડાયવર્ઝન પાણીમાં ગરક થઇ જતાં હાઇવે બંધ થઇ ગયો હતો. હાઇવે પર બંને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.