ગાંધીનગર: ઇઝરાયલના રાજદૂત નાઓર ગીલોને સી.એમ.ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત નાઓર ગીલોને ગાંધીનગરમાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી

New Update
ગાંધીનગર: ઇઝરાયલના રાજદૂત નાઓર ગીલોને સી.એમ.ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત નાઓર ગીલોને ગાંધીનગરમાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી

ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત નાઓર ગીલોને ગાંધીનગરમાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી હાઈ લેવલ પ્રતિનિધિમંડળ સાથે તેમણે બેઠક પણ કરી હતી મુખ્યમંત્રી સાથે તેમણે ખાસ કરીને ગુજરાત માં ઇઝરાયેલના સહયોગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થયેલી આઇ ક્રિયેટ દ્વારા યુવા શક્તિના ઇનોવેશન અને નવિન શોધ સંશોધન ને મળી રહેલા પ્રોત્સાહન અંગે વિસ્તૃત પરામર્શ કર્યો હતો.મુખ્યમંત્રી એ પણ તાજેતરમાં આ આઈ ક્રિયેટની તેમણે લીધેલી મુલાકાત ત્યાં હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ થી માહિતગાર કર્યા હતા.

ઇઝરાયેલ રાજદૂતે ગુજરાત સાથે કૃષિ ક્ષેત્રમાં સેન્ટર ઓફ એકસ્લન્સ સહિત ની જે ઇઝરાયેલ ભાગીદારી છે તેને વધુ વ્યાપક બનાવવા પણ તત્પરતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ તેમને વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.