Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: 8 જિલ્લામાં રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામશે ચેરિટી ભવન,CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું ભૂમિપૂજન

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન 8 જીલ્લામાં નિર્માણ પામશે ચેરિટિ ભવન રૂ.22 કરોડની કરાય ફાળવણી

X

રાજ્યના 8 જિલ્લામાં રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 8 ચેરિટિ ભવનનું ઇ ખાતમુહત સી.એમ. ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

રાજ્યના આઠ જિલ્લામાં 22 કરોડના ખર્ચે નવા ચેરીટી કચેરી ભવન બનશે.વેરાવળ, બોટાદ, મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં આ ભવનનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા હતા.સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડોક્યુમેન્ટસનો ડિજિટલાઇઝેશન ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પાઠવ્યા હતા.ચેરિટી તંત્રએ સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરી સી.એમ.ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીએ આપેલા ડિજિટલ ઇન્ડિયા સંકલ્પને પાર પાડવામાં ચેરિટી તંત્ર યોગદાનની તેમણે સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યના બધા જ જિલ્લામાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતા અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

Next Story