ગાંધીનગર : દક્ષિણ ગુજરાતમાં તાપી- પાર -નર્મદા લીંક પ્રોજેકટ રદ કરવાની કોંગ્રેસની માંગ

દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં....

New Update
ગાંધીનગર : દક્ષિણ ગુજરાતમાં તાપી- પાર -નર્મદા લીંક પ્રોજેકટ રદ કરવાની કોંગ્રેસની માંગ

દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં....

ગુજરાત વિધાનસભામાં આજે ચૂંટણી પહેલાંનું અંતિમ બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજુ કરી રહયા છે પણ આ બજેટ પહેલાજ ભારે હોબાળો થયો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર તાપી નર્મદા પ્રોજેકટ ને રદ્દ કરવાની માંગણી સાથે ધરણા કર્યા.. વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહીત અનેક ધારાસભ્યો આ ધરણામાં જોડાયા હતાં. વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં ડેમ બની રહયા છે જેને કારણે અમારા જળ જંગલ અને જમીન નાબુદ થઇ રહયા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આ પ્રોજેકટ રદ્દ કરે તેવી માંગણી કરાય છે.બજેટ પહેલાજ કોંગ્રેસના આક્રમક વલણથી સરકારની ચિંતામાં વધારો થયો છે.

Read the Next Article

ભરૂચ : લુવારા ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો,NH-48ના ફ્લાયઓવર કામના કારણે ખેતરોમાં ભરાયા પાણી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે.

New Update

લુવારા પાસે નિર્માણ થઇ રહ્યો છે ફ્લાયઓવર

ફ્લાયઓવરથી ખેડૂતોની મુશ્કેલી વધી

ફ્લાયઓવરથી  ખેતરમાં ભરાયા પાણી

ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટીમાં કરી રજૂઆત  

ખેડૂતોએ હાઇવે ઓથોરિટી સામે વ્યક્ત કર્યો રોષ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઉંચુ રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છેજેના કારણે પાક બગડવાનો ભય ઉભો થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છેછતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી.ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છેજેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે.હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.