ગાંધીનગર : 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી, વેક્સિનેશનમાં ગુજરાત બન્યું અગ્રેસર

16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.

New Update
  • 16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી

  • રસીકરણમાં અગ્રેસર ગુજરાત 

  • BCG કવરેજ 2022-23માં 97.85% થી વધીને 2023-24માં 99.2% થયું.

  • પેન્ટાવેલેન્ટ (ત્રીજો ડોઝ)નું કવરેજ 92.28% થી વધીને 95.8% થયું.

  • ઓરી-રુબેલા રસીકરણ હવે 97.7% બાળકોને આપે છે રક્ષણ

16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.આ પ્રતિ-રક્ષણથી લાખો નવજાત શિશુઓ અને મહિલાઓના જીવ બચ્યા છે.શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ અદભૂત પરિવર્તન આણ્યું છે.

16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.આ પ્રતિ-રક્ષણથી લાખો નવજાત શિશુઓ અને મહિલાઓના જીવ બચ્યા છે. શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ  અદભૂત પરિવર્તન આણ્યું છે. અમદાવાદના સોનલબહેન ખાનગી હોસ્પિટલમાં પોતાના નવજાત શિશુને રસી અપાવવા માટે સક્ષમ ન હતાપરંતુ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી રસીથી તેમની ચિંતા દૂર થઈ છે.તેમનુ કહેવુ છે કે અમારા માટે ઘણું સારુ છે કેમકે જો ખાનગી હોસ્પીટલમાં રસી અપાવું તો ઘણા રૂપિયા થાય જે મારી પાસે નથી.

ગુજરાત સરકારે રસીકરણની વ્યવસ્થા ઘરઆંગણે પૂરી પાડી છે. 'સઘન મિશન ઇન્દ્રધનુષ, ‘ધન્વંતરી રથ’, ‘ટીકા એક્સપ્રેસ’ અને મોબાઈલ મમતા દિવસ’ જેવા વિવિધ કાર્યક્રમો થકી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છે.9 થી 11 માસના બાળકો માટે રસીકરણનો દર ગુજરાતમાં 95 ટકાથી વધુ છે.ગુજરાતમાં  મિશન ઈન્દ્રધનુષ 5.0 હેઠળ 2023માં 9,95,395 બાળકો અને 2,25,960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હતી.ગુજરાતમાં રસીકરણ ઝુંબેશની સફળતાના કેટલાક આંકડા પર નજર કરીએ તો BCG કવરેજ 2022-23માં 97.85 ટકાથી વધીને 2023-24માં 99.2 ટકા થયું છે.પેન્ટાવેલેન્ટ ત્રીજો ડોઝનું કવરેજ 92.28 ટકા થી વધીને 95.8 ટકા થયું છે.ઓરી-રુબેલા રસીકરણ હવે 97.7 ટકા બાળકોને રક્ષણ આપે છે.

અમદાવાદના બાળ રોગ નિષ્ણાંત ડો.અનુયા ચૌહાણનું કહેવુ છે કે ઓરલ પોલીયો વેક્સીન,પેન્ટાવેલન્ટ વેક્સીન,રોટાવાઇરસ વેક્સીન,ઇન્જેક્ટેબલ પોલીયો વેક્સીન અને ન્યુમોકોકલ વેક્સીન પણ બાળકોને આપવામાં આવે છે. જો બાળકને આ રસી ન મળે તો ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે.ગુજરાતે રસીકરણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.