ગાંધીનગર: "આપના" વિજય સુંવાળાની ઘર વાપસી, ભાજપનો ભગવો કર્યો ધારણ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.

New Update
ગાંધીનગર: "આપના" વિજય સુંવાળાની ઘર વાપસી, ભાજપનો ભગવો કર્યો ધારણ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોટો આંચકો લાગ્યો છે. ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા આંતરિક વિખવાદ કારણે નારાજ થઈને AAP સાથે છેડો આપ્યો હતો. અને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ગાયક વિજય સુંવાળા છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવા અંગે નિવેદન આપી રહ્યા હતા. જોકે બાદમાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું. ત્યારે સોમવારે ગાંધીનગર કમલમ ખાતે વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરીને ભાજપમાં આવકાર્ય છે. આ દરમિયાન રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. વિજય સુંવાળા ભાજપમાં જોડાતા નિવેદન આપતા જણાવ્યુ હતું કે પોતાના ઘરે પાછો આવ્યો છું. રાતનો ભૂલેલો સવારે ઘરે પાછો આવ્યો છું. આજનો માહોલ મારી જિંદગી માટે ખુબ અમુલ્ય છે. મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે.

તો બીજીબાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કહ્યું કે વિજય સુવાળા ભાજપમાં પ્રવેશ કર્યો છે, તેમના કહેવા મુજબ જ ઘરવાપસીનો કાર્યક્રમ છે. તેઓ પોતાના ઘરે પાછા આવ્યા છે, તેઓ બીજી પાર્ટીમાં જોડાયા પહેલા પણ મને મળ્યા હતા. પરંતુ કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories