Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો,વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત

ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

X

ગાંધીનગરમાં ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સ્નેહમિલન સમારંભમાં સમાજના વર્ષ-2019થી 2022ના તેજસ્વી વિઘાર્થીઓ, વર્ગ-1ના અધિકારીઓ ર્ડાકટરો અને ખાસ એવોર્ડ વિજેતાઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સમય અનુસાર સમાજમાં પરિવર્તન આવું ખૂબ જરૂરી છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘આવનારો સમય સોફ પાવરનો છે, આ સોફપાવર રાજકીય, ધાર્મિક, સામાજિક જેવી અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બને.આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ ચૌધરી, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, વિજાપુર એપીએમસીના વાઈસ ચેરમેન અને પ્રમુખ ગ્રૃપના કનુ ચૌધરી સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા

Next Story