ગાંધીનગર : રાજયનું 2.43 લાખ કરોડ રૂા.ના વ્યાપવાળુ નાણા બજેટ જાહેર

New Update
ગાંધીનગર : રાજયનું 2.43 લાખ કરોડ રૂા.ના વ્યાપવાળુ નાણા બજેટ જાહેર

રાજયવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહયાં હતાં તેવું નવી સરકારનું પ્રથમ બજેટ વિધાનસભામાં રજુ થઇ ચુકયું છે. રાજયના બજેટનો વ્યાપ 2.43 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે...

Advertisment

રાજયમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે અને ભાજપના મોવડી મંડળે પણ આખે આખી સરકાર બદલી નાંખી છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ રજુ કર્યું હતું. દરેક પ્રકારની માળખાકીય સુવિધાઓને આવરી લેતું બજેટ જાહેર કરાયું છે. રાજયમાં 3 નવી મેડીકલ કોલેજ, ભરૂચની શ્રવણ ચોકડીએ એલીવેટેડ ફલાયઓવર સહિત અનેક મોટા પ્રોજેકટો માટે બજેટમાં નાણાની ફાળવણી કરવામાં આવી છે. હવે જોઇએ આવો જોઈએ નાણાં મંત્રીએ ક્યાં ક્ષેત્રો માટે કેટલો જોગવાઇઓ કરી છે:

  • કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ
  • જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડ રૂા.ની ફાળવણી
  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડ આપવામાં આવ્યાં
  • આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડ તો શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ
  • મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ ફાળવાયાં
  • ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ કરવામાં આવી
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ અપાશે
  • સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ જયારે
  • કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિભાગની વાત કરીએ તો..
  • આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ કરાય છે
  • પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગને રૂ.9048 કરોડ અને
  • શહેરી વિકાસ વિભાગને રૂ.14297 કરોડ રૂપિયા અપાયાં છે
  • ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જયારે
  • પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ કરાય છે
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
Advertisment
Read the Next Article

બનાસકાંઠામાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનીને BSFએ ઠાર કર્યો, પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઈસમની કચ્છથી ધરપકડ, હર્ષ સંઘવીના ગુજરાત ATSને અભિનંદન...

ઘુસણખોરી કરતાં પાકિસ્તાની વ્યક્તિને BSFના જવાનોએ ઠાર કર્યો હતો. તો બીજી તરફ, ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી

New Update
  • બનાસકાંઠામાં ઘુસણખોરી કરતો હતો એક પાકિસ્તાની વ્યક્તિ

  • BSFના જવાનોએ ઘુસણખોરી કરતા પાકિસ્તાનીને ઠાર કર્યો

  • ગુજરાત ATS દ્વારા પણ કચ્છના દયાપરમાં કરાય કાર્યવાહી

  • પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની ATSએ ધરપકડ કરી

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન આપ્યા 

Advertisment

બનાસકાંઠા જીલ્લામાં ઘુસણખોરી કરતાં પાકિસ્તાની વ્યક્તિને BSFના જવાનોએ ઠાર કર્યો હતો. તો બીજી તરફગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન પાઠવ્યા હતા.

ગત તા. 23 મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક BSFના જવાનોએ ઠાર કર્યો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતો જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી. છતાં તે આગળ વધી રહ્યો હતો. જેથી પરિસ્થિતિ જોતાં BSFના જવાનોએ ગોળીબાર કર્યો હતો.

જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. તો બીજી તરફગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. એટલું જ નહીંપાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો.

ગુજરાત ATSને અભિનંદન આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કેયુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ PAK માટે જાસૂસીના કેસનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. લીડિંગ ટેરિરિઝમ સ્ક્વોડ સામે ગુજરાત ATS લડી રહી છેત્યારે આ જાસૂસ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફબનાસકાંઠામાં ઘૂસણખોરને ઠાર કરવા મામલે તેઓએ નિવેદન આપતા જણાવ્યુ હતું કેઆ બાબતે હું કોઈ ટીકા ટીપ્પણી કરવા માંગતો નથી.

Advertisment