ગીર સોમનાથ : 300 કૃષ્ણ ભક્તોની 257 કિ.મી.ની પદયાત્રા,8 દિવસ પગપાળા કરીને દ્વારકા પહોંચશે

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે.

New Update
  • લોઢવાથી દ્વારકા સુધીની 257 કિ.મીની પદયાત્રા

  • 300 કૃષ્ણો ભક્તો પદયાત્રામાં જોડાયા

  • 8 દિવસ પગપાળા કરીને ભક્તો પહોંચશે દ્વારકા

  • 18 વર્ષથી ચાલતી પરંપરાને જીવંત રાખતા ભક્તો

  • દ્વારકાધીશના દર્શનનો ભક્તોમાં અનેરો ઉત્સાહ  

Advertisment

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિમીની પદયાત્રાનો વાજતે-ગાજતે પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો જોડાયા છે.

લોઢવા ગામના નાથુ રામભાઈ ભોળાએ જણાવ્યું કે છેલ્લા 18 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શરૂઆતમાં માત્ર 5-7 ભાવિકોથી શરૂ થયેલી આ પરંપરા આજે 300 ભાવિકો સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું કે પદયાત્રા દરમિયાન લગ્ન પ્રસંગ જેવો આનંદ અનુભવાય છે.

આ પદયાત્રા દરમિયાન યાત્રાળુઓની સગવડ માટે એક ટ્રેક્ટરમાં જમવા માટે રાશન અને એક ટેન્કરમાં પીવાનું પાણી સાથે રાખવામાં આવ્યું છે. યાત્રાળુઓ રોજના 30-35 કિમીનું અંતર કાપશે અને કૃષ્ણભક્તિના ગીતો ગાતા આગળ વધશે.આ પદયાત્રામાં વડીલોથી માંડીને યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા છે. આઠમા દિવસે યાત્રાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચીને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે.

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબિનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
  • અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકનો બનાવ

  • લાકડાની કેબિનમાં આગ 

  • સમગ્ર કેબિન આગમાં બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

  • આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન

Advertisment
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. ગતરોજ મોડી રાત્રિના સમયે અંકલેશ્વરથી વાલીયાને જોડતા મુખ્ય માર્ગ પર કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા પાસે લાકડાની કેબીનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી.જેના પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ કેબિનની બાજુમાં રહેલ અન્ય કેબિનમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે કોઈક ઈસમો દ્વારા કેબિનમાં આગ લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisment