ગીર સોમનાથ : 300 કૃષ્ણ ભક્તોની 257 કિ.મી.ની પદયાત્રા,8 દિવસ પગપાળા કરીને દ્વારકા પહોંચશે

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે.

New Update
  • લોઢવાથી દ્વારકા સુધીની 257 કિ.મીની પદયાત્રા

  • 300 કૃષ્ણો ભક્તો પદયાત્રામાં જોડાયા

  • 8 દિવસ પગપાળા કરીને ભક્તો પહોંચશે દ્વારકા

  • 18 વર્ષથી ચાલતી પરંપરાને જીવંત રાખતા ભક્તો

  • દ્વારકાધીશના દર્શનનો ભક્તોમાં અનેરો ઉત્સાહ  

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિમીની પદયાત્રાનો વાજતે-ગાજતે પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો જોડાયા છે.

લોઢવા ગામના નાથુ રામભાઈ ભોળાએ જણાવ્યું કે છેલ્લા 18 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શરૂઆતમાં માત્ર 5-7 ભાવિકોથી શરૂ થયેલી આ પરંપરા આજે 300 ભાવિકો સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું કે પદયાત્રા દરમિયાન લગ્ન પ્રસંગ જેવો આનંદ અનુભવાય છે.

આ પદયાત્રા દરમિયાન યાત્રાળુઓની સગવડ માટે એક ટ્રેક્ટરમાં જમવા માટે રાશન અને એક ટેન્કરમાં પીવાનું પાણી સાથે રાખવામાં આવ્યું છે. યાત્રાળુઓ રોજના 30-35 કિમીનું અંતર કાપશે અને કૃષ્ણભક્તિના ગીતો ગાતા આગળ વધશે.આ પદયાત્રામાં વડીલોથી માંડીને યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા છે. આઠમા દિવસે યાત્રાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચીને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.