ગીર સોમનાથ : હીટવેવના પગલે વિદ્યાર્થીઓ,શ્રમિકો માટે ORS-પાણીની વ્યવસ્થા,મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામગીરી રહેશ બંધ

ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

New Update
  • હિટવેવના પગલે તંત્ર બન્યું સાબદુ

  • જિલ્લા કલેકટરે તૈયાર કર્યો એક્શન પ્લાન

  • વિદ્યાર્થીઓ-શ્રમિકો માટેORS-પાણીની કરાઈ વ્યવસ્થા

  • મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામગીરી રહેશે બંધ

  • લૂ થી બચવા માટે સાવચેતીના પગલા લેવા કરાયો અનુરોધ

ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે,અને અસહ્ય ગરમી સામે પ્રજાની સુરક્ષા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે,જેમ જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ સંબંધિત આરોગ્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ આંગણવાડીશાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટેORS અને પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ પગલા લીધા છે. અને આરોગ્ય વિભાગે લોકોની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સાથે જ તકેદારીના ભાગરૂપે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગની ટીમે જિલ્લાની તમામ શાળાઓઆંગણવાડી કેન્દ્રોગ્રામ પંચાયત અને એસ.ટી. ડેપો પરORS પેકેટનું વિતરણ કર્યું છે.

મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટેORS, પાણી અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવશે.અને બપોરના સમયે વધુ ગરમી દરમિયાન કામગીરી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને લૂ થી બચવા માટે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કર્યો છે.

નાના બાળકોસગર્ભા માતાઓવૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત

બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • ગઝલ સંસ્કાર કાર્યશાળાનું કરાયું આયોજન

  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ લીધો ભાગ

  • ગઝલના ઇતિહાસ સહિતની રસપ્રદ માહિતની કરાઈ રજૂઆત

  • ગઝલના રેખાચિત્રોનું આલેખન પદ્ધતિનું અપાયું માર્ગદર્શન

  • અરબીફારસી છંદોના ગુજરાતી નામકરણની કરાઈ છણાવટ 

ભરૂચ ભોલાવ ખાતેની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સુંદર પરિસર ખાતે તારીખ 27 જુલાઈ રવિવારના રોજ બુધ કવિસભા ભરૂચમયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિધ્ધ ગઝલકાર કવિ મકરંદ મુસળે હાજર રહ્યા હતા. સદર કાર્યશાળામાં ગઝલની ઉત્પતિગઝલનો ઈતિહાસતેમજ ગઝલ વિશેના એકમ ઘટકો ગણછંદલય વિગેરેની વિસ્તૃત માહિતી મલ્ટી મિડિયા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી.

તદુપરાંતસાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયામો જેવા કેગઝલના અરબીફારસી છંદોનું ગુજરાતી નામકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રો (ગ્રાફ) નું આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે'કાર્યશાળાના ઉદેશ્યમુખ્ય વક્તા કવિ મકરંદ મુસળે નો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પ્રમોદ પંડ્યાએ બુધ કવિ સભાનો છેલ્લા ત્રણ વર્ષનો સાતત્યસભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુધ કવિ સભાને એક આગવી ઓળખ આપી હતી. બુધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદ મુસળેનું તેમજ કવયિત્રી હેતલ ચૌધરીએ મયુરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા.જ્યારે શ્રીમતી હેમાક્ષી શાહ અને શ્રીમતી હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં કવિ પ્રધુમન ખાચરે આગવી છટામાં આભારવિધિ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

બુધ કવિ સભાના ફાઉન્ડર મેમ્બર બ્રીજ પાઠકે ઉમેર્યું હતું કે દરેક બુધ કવિ સભામાં અમે સુપ્રસિદ્ધ કવિઓને અમારી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા સાંકળીએ છીએ ઉપરાંત મયુરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ "ગઝલ સંસ્કાર" કાર્યશાળા માટેની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો.જે માટે સંસ્થા ઋણી છે. જ્યારે પ્રતિસાદરૂપે ધ્રુવ જોશી દ્વારા બુધ કવિ સભાના સંયુક્ત ગઝલ સંગ્રહના પુસ્તક તૈયાર કરવા આહવાન કરી આર્થિક સહાયની કરેલ આગોતરી જાહેરાતની વાતને પ્રોત્સાહક બળ તરીકે નોંધવામાં આવી હતી.

આ નવીનતમ "ગઝલ સંસ્કાર" કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચઅંકલેશ્વર,વડોદરાસુરતવાપીતેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે બુધ કવિ સભાએ  આભારની લાગણી વ્યક્ત કરી હતી.