ગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાં કેદ 22 માછીમારોની વતન વાપસી થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા

પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા.

New Update
  • પાકિસ્તાન જેલમાં કેદ હતા માછીમારો

  • પાકિસ્તાને માછીમારોને બનાવ્યા હતા બંધક 

  • કેદમાંથી મુક્ત થતા 22 માછીમારો વતન પરત આવ્યા

  • પરિવારજનો સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા 

  • પાકિસ્તાની જેલમાં હજી પણ 195 માછીમારો કેદ 

Advertisment

પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા.

ગીર સોમનાથ જીલ્લા સહિત દ્વારકા અને યુપીના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ 2021 - 22 દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા.જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે.તમામ માછીમારોને ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા,અને પરિવારજનોને સોંપ્યા હતા.ત્યારે આ માછીમારોનું અહીં લાવતા પહેલા કીડીવાવ ખાતે પોલીસ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષે પરિવારજનોને જોઈ ચોધાર આંસુએ પરિવારજનો અને માછીમારો રડી પડ્યા હતા.

ફિશરીઝ અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ પાકિસ્તાન જેલમાં 195 જેટલા માછીમારો કેદ છે અને તેઓ મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે,ત્યારે અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટા ભાગના માછીમારો હૃદયડાયાબિટીસટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે,તેવું જાણવા મળ્યું છે.

Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment