ગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાં કેદ 22 માછીમારોની વતન વાપસી થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા

પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા.

New Update
  • પાકિસ્તાન જેલમાં કેદ હતા માછીમારો

  • પાકિસ્તાને માછીમારોને બનાવ્યા હતા બંધક 

  • કેદમાંથી મુક્ત થતા 22 માછીમારો વતન પરત આવ્યા

  • પરિવારજનો સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા 

  • પાકિસ્તાની જેલમાં હજી પણ 195 માછીમારો કેદ 

પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા.

ગીર સોમનાથ જીલ્લા સહિત દ્વારકા અને યુપીના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ 2021 - 22 દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા.જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે.તમામ માછીમારોને ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા,અને પરિવારજનોને સોંપ્યા હતા.ત્યારે આ માછીમારોનું અહીં લાવતા પહેલા કીડીવાવ ખાતે પોલીસ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષે પરિવારજનોને જોઈ ચોધાર આંસુએ પરિવારજનો અને માછીમારો રડી પડ્યા હતા.

ફિશરીઝ અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ પાકિસ્તાન જેલમાં 195 જેટલા માછીમારો કેદ છે અને તેઓ મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે,ત્યારે અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટા ભાગના માછીમારો હૃદયડાયાબિટીસટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે,તેવું જાણવા મળ્યું છે.

Read the Next Article

જુનાગઢ : ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ મામલે AAPના કાર્યકર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી..!

અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી

New Update
  • ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલનો મામલો

  • ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પોલીસ મથકે અરજી અપાય

  • AAPના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે અરજી દાખલ

  • વેપારીઓએ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં હોબાળો મચાવ્યો

  • અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ થતા ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયાના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

જેને લઈને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડની હરાજી 2 કલાક સુધી બંધ રાખવામાં આવી હતીઅને મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવ્યો હતો. અંતે તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા અને આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયા દ્વારા વાયરલ ઓડિયો અને અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો હતો.