વેરાવળ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, પાલિકા નિરાકરણમાં નિષ્ફળ !

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

New Update

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

Advertisment
રાજ્ય સરકાર ના સ્વચ્છ નગર... સ્વસ્થ નગરના સૂત્રનો વેરાવળ પાલિકા તંત્ર દ્વારા રીતસર નો ઉલાળીયો જ કરવામાં આવે છે.સામાન્ય રીતે સ્વચ્છતાની જવાબદારી પાલિકા તંત્રની હોય છે પરંતુ વેરાવળ શહેરમાં તો પાલિકા તંત્રના જ સફાઈ કર્મચારીઓ જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યા છે અને આ ગંદકીના કારણે સર્જાયેલ નર્કાગાર સ્થિતિમાં રહેવા લોકો મજબૂર બન્યા છે.અહીંના રહીશો આ ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે 
નગરપાલિકાના જ સફાઈ કર્મચારીઓ દ્વારા ગંદકી ફેલાવાતી હોવાનો વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.સાથે સાથે એવું પણ માને છે કે લાંબા સમયથી શહેર માટે મોટી સમસ્યા છે પરંતુ શહેરમાં ઘન કચરાના નિકાલ માટે પોઇન્ટ સિસ્ટમ હોવાથી આ સ્થિતિ નિર્માણ થતી હોવાનો લુલો બચાવ કર્યો હતો.
વેરાવળ શહેરમાં જાહેરમાં થતી ગંદકી ઉપરાંત જોખમી ખુલ્લી ગટરો લોકો માટે શિરદર્દ સાબિત થઈ રહી છે. પાલિકા તંત્રને લોકોની ફરિયાદ છતાં પેટનું પાણી હલતું નથી ત્યારે વેરાવળના નગરજનોને આ યાતનામાંથી ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું
Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment