ગીર સોમનાથ : લોઢવા ગામે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડતોમાં રોષ, શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ..!

ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,

New Update
ગીર સોમનાથ : લોઢવા ગામે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડતોમાં રોષ, શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ..!

ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, જ્યાં યુરિયા અને ડીએપી ખાતર મેળવવા માટે લોઢવા ગામના ખેડૂતો લાંબી કતારમાં જોવા મળ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા ઘણા દિવસથી યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાય છે. લોઢવા ગામે યુરિયા અને ડીએપી ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લે એક મહિના દિવસથી ખાતર આવ્યું જ નથી, અને આવ્યું છે તો માત્ર એક જ ગાડી જેટલું ખાતર આવ્યું છે. જેના કારણે કેટલાય ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી. જો ખાતર નહીં મળે તો પાકને મોટી નુકસાની જવાની ભીતિ સેવાય રહી છે. અત્યારે ઘઉં તેમજ બાજરી સહિતના શિયાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું છે. પરંતુ ખાતરની અછતના કારણે આ વખતે શિયાળુ પાકને અસર થઈ શકે છે. ગીર સોમનાથના તમામ તાલુકામાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે હવે યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે. આ સાથે જ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, દિવાળી પહેલા પણ અમે કતારમાં ઊભા હતા, અને દિવાળી બાદ પણ લાંબી કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.