ગીર સોમનાથ : સુત્રાપાડામાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા કૌભાંડનો પર્દાફાશ,4 જ દિવસમાં આ બીજો જથ્થો ઝડપાયો

સસ્તા ભાવના અનાજના ગોરખ ધંધાનો પર્દાફાશ, સુત્રાપાડા પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો

New Update
ગીર સોમનાથ : સુત્રાપાડામાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા કૌભાંડનો પર્દાફાશ,4 જ દિવસમાં આ બીજો જથ્થો ઝડપાયો

જરૂરિયાતમંદોને રાશનિંગમા મળતું સસ્તા ભાવના અનાજના ગોરખ ધંધાનો પર્દાફાશ થયોછે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસે ગેરકાનૂની રીતે જતો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આ દ્રશ્યો છે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના. અને આ એમાંય જોવા મળી રહેલા અનાજના જથ્થાના જે સરકારે જરૂરીયાતમંદોનો આપે છે તે છે. પરંતુ વચ્ચે ના વચેટિયાઓ ગરીબોનું બે ટંકનું ભોજન છીનવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે કે આ જથ્થો સુત્રાપાડાના હરણાસા ગામેથી ટ્રેકટરમા ભરી તેને લોઢવા લઇ જવામાં આવતો હતો, પરંતુ તે જગ્યા પર પહોંચે તે પહેલાજ સુત્રાપાડા ગેટ પાસે પોલીસે ચેક કરતા આમાં રહેલી દાળ ઓછી લાગી હતી અને આ જથ્થો લઈ જનાર પાસે કોઈ જવાબ ન હતો.

આ જથ્થો સરકારી બોરી અને સિમ્બોલવાળો હોવાના કારણે એ સાબિત થયું કે સરકારના સરકારી અનાજને ગરીબોને નહીં પણ લોઢવામાં બેઠેલા વેપારીને ઉંચા ભાવે વહેંચી દેવાનું હતું. સ્થળ પર થયેલા રોજ કામ મુજબ આ જથ્થામાં 96 ગુણી ચોખા અને 8 ગુણ તુવેર દાળ હોવાનું બહાર આવતા આ જથ્થો સીઝ કરાયો હતો. જો કે મામાલદાર નું કહેવું છે કે તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. જોકે 4 દિવસ પહેલા પણ સુત્રાપાડાના લાટી ગામે તળાવમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો તળાવમાં તરતો જોવા મળ્યો હતો. જેની તપાસ હજુ પૂરી નથી થઈ ત્યાં આ બીજો જથ્થો મળી આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

New Update
  • ચોમાસાની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી

  • પિયત કપાસનું વાવેતર કરાયું શરૂ

  • 730 હેક્ટરમાં કપાસનું વાવેતર

  • હાંસોટમાં 150 હેક્ટરમાં કરાયું વાવેતર

  • કપાસ અને તુવેર સહિતના પાકની વાવણી   

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબવરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.