ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

New Update
ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં દેશી ગોળનું ઉત્પાદન કરતાં ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

Advertisment

બે દિવસ પહેલા જી.એસ.ટી.કાઉન્સિલની ૪૯મી બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં દેશી ગોળ ઉપર વસુલાતા પ્રવર્તમાન GSTદરમાં મોટી રાહત આપવા નિર્ણય લેવાયો છે.દેશમાં સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લો દેશી ગોળનું હબ રહ્યો છે અને વર્ષે ૨૫ લાખ ડબ્બાનું ઉત્પાદન કરે છે જ્યાં GSTકાઉન્સિલના આ નિર્ણયથી રાહતની લાગણી પ્રસરી છે.આ મુદ્દે દેશી ગોળ નું ઉત્પાદન કરતા અને તાલાલા ગીર ખેતીવાડી ઉત્પાદન સમિતિના અધ્યક્ષ સંજયભા શીંગાળાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી જિલ્લાની ત્રણ ખાંડ ફેકટરીઓ બંઘ હોવાથી જિલ્લામાં શેરડીના પાકનું વાવેતર કરતા ખેડુતો માટે ગોળના રાબડા આર્શીવાદ સમાન બન્યા છે.દેશી ગોળના રાબડા કોઇ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી પરંતુ ખેડૂતોની શેરડીનો ખેડૂતો જ ગોળ બનાવી ઉપજ મેળવી રહ્યા છે.હાલ ૧૮ ટકાનો જી.એસ.ટી.માં ફેરફાર કરીને હવે માત્ર પ્રિપેક્ડ કે લેબલવાળા ગોળ ઉપર પ ટકા અને છૂટક વેચાતા ગોળ ઉપરનો જી.એસ.ટી.ઝીરો કરી દેવાયો છે. આને કારણે ગોળ લોકોને સસ્તો મળવાની અને વેપારીઓને જીએસટીની ઝંઝટ ઘટવાની આશા જાગી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment