ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

New Update
ગીર સોમનાથ:દેશી ગોળ પર GSTનો બોજ ઘટ્યો, ગોળનું ઉત્પાદન કરતા ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં દેશી ગોળનું ઉત્પાદન કરતાં ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

બે દિવસ પહેલા જી.એસ.ટી.કાઉન્સિલની ૪૯મી બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં દેશી ગોળ ઉપર વસુલાતા પ્રવર્તમાન GSTદરમાં મોટી રાહત આપવા નિર્ણય લેવાયો છે.દેશમાં સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લો દેશી ગોળનું હબ રહ્યો છે અને વર્ષે ૨૫ લાખ ડબ્બાનું ઉત્પાદન કરે છે જ્યાં GSTકાઉન્સિલના આ નિર્ણયથી રાહતની લાગણી પ્રસરી છે.આ મુદ્દે દેશી ગોળ નું ઉત્પાદન કરતા અને તાલાલા ગીર ખેતીવાડી ઉત્પાદન સમિતિના અધ્યક્ષ સંજયભા શીંગાળાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી જિલ્લાની ત્રણ ખાંડ ફેકટરીઓ બંઘ હોવાથી જિલ્લામાં શેરડીના પાકનું વાવેતર કરતા ખેડુતો માટે ગોળના રાબડા આર્શીવાદ સમાન બન્યા છે.દેશી ગોળના રાબડા કોઇ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી પરંતુ ખેડૂતોની શેરડીનો ખેડૂતો જ ગોળ બનાવી ઉપજ મેળવી રહ્યા છે.હાલ ૧૮ ટકાનો જી.એસ.ટી.માં ફેરફાર કરીને હવે માત્ર પ્રિપેક્ડ કે લેબલવાળા ગોળ ઉપર પ ટકા અને છૂટક વેચાતા ગોળ ઉપરનો જી.એસ.ટી.ઝીરો કરી દેવાયો છે. આને કારણે ગોળ લોકોને સસ્તો મળવાની અને વેપારીઓને જીએસટીની ઝંઝટ ઘટવાની આશા જાગી છે.

Read the Next Article

ભરૂચ: રહાડપોર ગામના મિલન નગરમાં બિસ્માર માર્ગ- ઉભરાતી ગટરની સમસ્યા, સ્થાનિકોએ પ્રશ્નના નિરાકરણની કરી માંગ

ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી

New Update
  • ભરૂચ શહેરને અડીને આવેલું છે રહાડપોર ગામ

  • મિલન નગર સોસાયટીમાં સમસ્યા

  • બિસ્માર માર્ગના કારણે મુશ્કેલી

  • ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ

ભરૂચ શહેરને અડીને આવેલ રહાડપોરની મિલન નગર સોસાયટીના રહીશો બિસ્માર માર્ગો અને ઉભરાતી ગટરની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલન નગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરના કારણે  મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે. રહીશોએ તંત્ર પાસે પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે.
Latest Stories