ગીર સોમનાથ : કાર્તિકી પૂર્ણિમા મેળાનો ભજન,ભોજન,ભક્તિ અને આનંદની સરવાણી સાથે ભવ્ય પ્રારંભ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025”નો તારીખ 27 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળાનું તારીખ 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું

New Update
  • કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ

  • પાંચ દિવસ યોજાય છે મેળો

  • ભજન,ભોજન,ભક્તિ અને આનંદની સરવાણી

  • પ્રથમ દિવસે જ 1 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા

  • સાંસ્કૃતિક પ્રદર્શનીએ લોકોમાં જમાવ્યું આકર્ષણ

સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025નો તારીખ 27 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળાનું તારીખ 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય મેળાઓમાંના એક 'કાર્તિકી પૂર્ણિમા મેળો - 2025નો ભવ્ય પ્રારંભ થયો હતો. આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી તારીખ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છેછતાં પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ લોકોની ભવ્ય હાજરીએ મેળાની લોકપ્રિયતામાં ઉતરોત્તર વધારો કર્યો છે. જુનાગઢ રેન્જના આઈ.જી.પી નિલેશકુમાર ઝાઝડિયાના શુભહસ્તે મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ મેળામાં દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે. 200થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓના વિકલ્પો હસ્તકલા અને ગૃહ ઉદ્યોગના ઈન્ડેક્સ-સી વિભાગ.'સરસ મેળાદ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયા- વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોમનાથ @70વિશેષ ચિત્ર પ્રદર્શની,સનાતન સંસ્કળતિને સ્પર્શતા આકર્ષક સેલ્ફી પોઈન્ટસ છે. નાના બાળકો માટે સુરક્ષિત અને રોમાંચક રાઇડ્સ અને મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ જ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું.

મેળાની પ્રથમ સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના લોકગીતોભજનો અને ભક્તિગીતોથી સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દૂર-દૂરથી આવેલા ભક્તો સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકળત ફેસબુક અને યુટ્યુબ દ્વારા લાઈવ પ્રસારણનો લાભ લીધો હતો.

Latest Stories