ગીર સોમનાથ : વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનનો વર્ચ્યુઅલી કરાવ્યો શુભારંભ,લોકોમાં ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે,ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર વતનમાં આવ્યા છે.આ અસર નિમિત્તે પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળવાની છે,

New Update
  • સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન

  • મોદી સરકારની યાત્રાધામ સોમનાથને ભેટ

  • સપ્તાહમાં 6 દિવસ દોડશે વંદે ભારત ટ્રેન

  • જૂનાગઢથી મહિલા મંડળે કરી પ્રથમ મુસાફરી

  • સોમનાથ ખાતે પણ 150 કરોડના ખર્ચે બનશે રેલવે સ્ટેશન

સોમનાથથી સાબરમતી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો.વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ ઐતિહાસીક ક્ષણની ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે,ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર વતનમાં આવ્યા છે.આ અસર નિમિત્તે પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળવાની છે,ત્યારે દાહોદ ખાતેથી પીએમ મોદીએ સોમનાથથી સાબરમતી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવામાં આવી હતી.

આ નવી વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ સેવા આપશેજે યાત્રાધામ સોમનાથની કનેક્ટિવિટીને વધુ સારી બનાવશે. પ્રથમ મુસાફરી માટે જૂનાગઢથી ખાસ મહિલા મંડળ વેરાવળ પહોંચ્યું હતુંજ્યાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાંસદ રાજેશ ચુડાસમાએ આ અવસરે મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાંસોમનાથ ખાતે 150 કરોડ રૂપિયાના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ યાત્રાળુઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે.