ગીર સોમનાથ : વેરાવળ-કોડીનાર હાઇવે પર અકસ્માત બાદ ડમ્પર ચાલકે ઉભેલા લોકોને કચડી નાખતા બેના મોત,સાતથી વધુ ઈજાગ્રસ્ત

ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
  • વેરાવળ-કોડીનાર હાઇવે પર અકસ્માત

  • ઇકો અને બાઈક વચ્ચે સર્જાયો હતો અકસ્માત 

  • અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે કચડી માર્યા

  • બેના મોત 7થી વધુ લોકો સારવાર હેઠળ

  • સુત્રાપાડા પોલીસે શરૂ કરી તપાસ

ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સમયે ઓવર સ્પીડમાં દોડતા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઉભેલા પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા. જ્યારે સાતથી વધુ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર કણજોતર ગામ નજીક રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન આ અકસ્માતને જોવા માટે ઉભેલા લોકોને પૂરપાટ આવી રહેલા ડમ્પરે કચડી નાખ્યા હતા. જે અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. આમ એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત થયા હતા.

આ ઘટના બનતા અફરાતફરી સર્જાઇ હતી.આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.