ગીરસોમનાથ: મ્યાનમારમાં ગુજરાતના બે યુવકો માનવ તસ્કરીનો ભોગ બન્યા,જુઓ શું છે મામલો

બે યુવાનો મ્યાનમારમાં માનવ તસ્કરીનો ભોગ બન્યા હતા.પીપળવા ગામનો નીરવ અને બાબરા ગામનો કિશન સહી સલામત ઘરે પહોંચતા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો

New Update
ગીરસોમનાથ: મ્યાનમારમાં ગુજરાતના બે યુવકો માનવ તસ્કરીનો ભોગ બન્યા,જુઓ શું છે મામલો

ગીર સોમનાથ જિલ્લાના બે યુવાનો મ્યાનમારમાં માનવ તસ્કરીનો ભોગ બન્યા હતા.પીપળવા ગામનો નીરવ અને બાબરા ગામનો કિશન સહી સલામત ઘરે પહોંચતા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો

રૂપિયા કમાવવા અને વિદેશ જઈ અને પરિવારને મદદરૂપ થવાના જાણ્યા વગરના સપના જોનારા યુવાનો માટે લાલબત્તી સમાન બનાવ બનતા સમગ્ર ગીર પંથકમાં ભારે ચકચાર મચી છે.પીપળવા ગામનો નીરવ અને બાબરાનો કિસન યુવાન માનવતસ્કરીનો ભોગ બનતા સ્થાનિક ઉદ્યોગપતિ રાજકીય આગેવાનો પોલીસ પ્રશાસન અને ભારતીય એમબીસી તેમજ મ્યાનમારની આર્મીએ જણાવેલી આ સ્થળે રેડ કરતા ગીરના બે યુવાનો સાથે અન્ય છ વ્યક્તિ જેમાં બે યૂવતીઓને પણ તંત્રએ છોડાવતા સૌ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પીપળવા ગામના નીરવ બામરોટીયાનેએ આફ્રિકાના કોઈ પરિચિત દ્વારા અમદાવાદ સ્થિત બે એજન્ટોનો સંપર્ક કર્યો હતો એજન્ટોએ પ્રથમ યુવાનોને પહેલા ટૂરીસ્ટ વીઝા પર દુબઈ મોકલ્યા હતા પરંતુ વિઝા પૂરા થવાના હોય જેથી બંને યુવાનોને મલેશિયામાં સારી જોબ છે તેવું કહી અને તેમને મ્યાનમારના નિર્જન વિસ્તારમાં ગેરકાયદે ફ્રોડ કરતા ધંધામા ધકેલ્યા હતા.સમગ્ર ઘટનાથી પરિચિત ઉદ્યોગપતિ રમેશ રાવલિયાએ મ્યાનમાર આર્મીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારે મ્યાનમારની આર્મીએ આઠે વ્યક્તિઓને મુક્ત કરી અને ચાઈનીઝ માફિયાઓને ત્યાં ને ત્યાં ભારે ફટકાર લગાવી અને મ્યાનમાર એરપોર્ટ પરથી આઠે વ્યક્તિઓને પ્લેનમાં બેસાડી અને ભારતના કલકત્તા એરપોર્ટ સુધી પહોંચાડ્યા હતા.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.