ગુજરાત ATSને મળી સફળતા... : હથિયારોનું બોગસ લાઇસન્સ મેળવનાર 16 શખ્સ ઝડપાયા...

ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે. જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા. શખ્સો પાસેથી 15 હથિયાર, 489 કારતૂસ જપ્ત

New Update
  • ગુજરાત ATSને મળી છે મોટી સફળતા

  • હથિયારોના બોગસ લાઇસન્સનો પર્દાફાશ

  • ગુજરાત ATSએ 16 શખ્સોને ઝડપી પાડ્યા

  • શખ્સો પાસેથી 15 હથિયાર, 489 કારતૂસ જપ્ત

  • આરોપીઓએ આંગડિયા કે, બેન્ક મારફતે પૈસા ચૂકવ્યા

ગુજરાતમાં નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાના મામલે ATSએ વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 15 હથિયાર સાથે 489 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે આ પ્રકરણમાં આરોપીઓનો આંકડો વધી શકે છે તેવું ATS પાસેથી જાણવા મળી રહ્યું છે.
ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે. જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા. ગુજરાત ATSએ ગત તા. 8 એપ્રિલ-2025ના રોજ બોગસ લાઇસન્સ ધરાવનાર 7 આરોપીની ધરપકડ કરી 6 હથિયાર સાથે 135 કારતૂસ કબજે કર્યા હતા, ત્યારે આ સાતેય આરોપીઓ ધાર્મિક કે, લગ્ન પ્રસંગમાં કમર પર ફટકડી લટાવી કસ્ટમરને આકર્ષતા હતા.
જેમના રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓના નામ સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. 16 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હથિયાર અને હથિયાર લાઇસન્સ અગાઉ પકડાયેલા 7 આરોપીઓ થકી મેળવ્યા હતા અને 7 આરોપીઓએ હરિયાણા ખાતે સોહિમઅલી તેમજ આસિફ નામના શખસોએ નાગાલેન્ડ અને મણિપુરના લાઇસન્સ તૈયાર કરાવી આપ્યા હતા, ત્યારે ગુજરાત ATSને શંકા છે કે, નાગાલેન્ડ અને મણિપુર તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી પણ આ બોગસ લાઇસન્સ કૌભાંડમાં સંડોવાયેલા હોઈ શકે છે.
જોકે, બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે ગુજરાત ATSએ 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં 23 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ 16 આરોપીઓ ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, ત્યારે આ 7 આરોપીઓ પાસેથી હથિયાર જોઇને પ્રભાવિત થઈ ગયા હતા, અને પોતાના માટે પણ લાઇસન્સ પરવાનો લેવા માટેની વાત કરી હતી. જેને લઈને આ 16 આરોપીઓએ ગુજરાત બહારના રાજ્યમાંથી 5 લાખથી લઇને 25 લાખની રકમ ચૂકવીને હથિયાર લાઇસન્સ અને હથિયાર મેળવ્યા હતા.
Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.